બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટ્રાફિકની સમસ્યાથી અમદાવાદીઓ ત્રાહિમામ? પૂર્વ અમદાવાદ બન્યું એપી સેન્ટર
Last Updated: 03:09 PM, 26 June 2026
આંકડા મુજબ આરટીઓ જંક્શન હજુ પણ શહેરનું સૌથી વય્સ્ત ટ્રાફિક કેન્દ્ર છે. અહીં સવારના 10થી 11 દરમિયાન 10,028 અને સાંજના છથી આઠ દરમિયાન 10,014 વાહનો પસાર થયાં હતાં, બીજી તરફ અનુપમ ચાર રસ્તા સાંજના સમયે શહેરનું સૌથી વ્યસ્ત જંક્શન બની ગયું છે, જ્યાં 10,088 વાહનોની અવરજવર નોંધાઈ હતી. શહેરના ટ્રાફિક નિષ્ણાંતો માને છે કે છેલ્લા પાંચ વર્ષમાં ટુ વ્હિલર અને ફોર વ્હિલરની સંખ્યામાં થયેલા વધારાની અસર હવે મુખ્ય ચાર રસ્તાઓ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. મેટ્રો અને બીઆરટીએસ, એએમટીએસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં લોકો ખાનગી વાહનોને જ પ્રાથમિકતા આપી રહ્યા છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારત સતત વધી રહ્યું છે.
ADVERTISEMENT
એક સમય હતો જ્યારે આશ્રમ રોડ, પાલડી, નવરંગપુરા અને સેટેલાઈટ જેવા વિસ્તારો ટ્રાફિકનાં મુખ્ય કેન્દ્ર ગણાતા હતા, પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. અનુપમ, સીટીએમ, ગુરુદ્વારા, વિરાટનગર, શાહીબાગ અંડરપાસ અને ગોમતીપુર જેવા પૂર્વ વિસ્તારનાં જંક્શનો પર ટ્રાફિકનું દબાણ ઝડપથી વધી રહ્યું છે. તે પાછળનાં મુખ્ય કારણોમાં નવા રહેણાક પ્રોજેક્ટ, ઔદ્યોગિક એકમો, કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને શહેરના પૂર્વ વિસ્તારમાં વધતી વસ્તીનો સમાવેશ થાય છે, જેના કારણે ઑફિસ સમય દરમિયાન હજારો વાહનો એકસાથે રસ્તા પર ઉતરી આવે છે.
ADVERTISEMENT
આરટીઓ જંક્શન લાંબા સમયથી અમદાવાદના ટ્રાફિકનું કેન્દ્ર બની રહ્યું છે. ગાંધીનગર, ચાંદખેડા, સાબરમતી, નારણપુરા અને શહેરના પશ્ચિમ વિસ્તારોને જોડતા આ જંક્શન પર દિવસભર વાહનોનો સતત પ્રવાહ રહે છે. આ સિવાય સુભાષ બ્રિજના વિવાદ બાદ તો વધુ ટ્રાફિક રહે છે. માત્ર એક કલાકમાં 10 હજારથી વધુ વાહનો પસાર થવાં એ દર્શાવે છે કે હાલની રોડ ક્ષમતા પર કેટલું મોટું દબાણ છે. આગામી વર્ષોમાં જો વૈકલ્પિક રૂટ અને જાહેર પરિવહનને પ્રોત્સાહન નહીં મળે તો આરટીઓ શહેરનો સૌથી મોટો બોટલનેક વિસ્તાર બની શકે છે.
ADVERTISEMENT
અનુપમ ચાર રસ્તા પર સવારે 8743 વાહનોની સરખામણીએ સાંજે 10,088 વાહનો નોંધાયાં હતાં એટલે કે માત્ર સાંજના સમયે 1345 વાહનોનો વધારો જોવા મળ્યો હતો. આ વિસ્તાર મણિનગર, ખોખરા, હાટકેશ્વર અને પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોને જોડે છે. ઑફિસ અને બજારો બંધ થવાના સમયે હજારો લોકો એકસાથે પોતાના ઘર તરફ જતા હોવાથી ટ્રાફિકનું દબાણ વધી જાય છે.
ADVERTISEMENT
અમદાવાદમાં વધતા ટ્રાફિક પાછળ અનેક કારણો જવાબદાર છે. જે અહીં દર્શાવવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
સાંજના સમયે ટ્રાફિકમાં સૌથી વધુ વધારો
ADVERTISEMENT
ટ્રાફિકના ડીસીપી નરેશ કણજરિયાએ જણાવ્યું કે એઆઈના એનાલિસિસ બાદ ટ્રાફિકની સ્થિતિ જાણવા મળી છે. રથયાત્રા, તહેવારો અને વીકએન્ડ દરમિયાન આ જંક્શનો પર વાહનોની સંખ્યા સામાન્ય દિવસોની સરખામણીએ 20થી 30 ટકા સુધી વધી જાય છે. ખાસ કરીને અનુપમ, સીટીએમ અને આરટીઓ વિસ્તારમાં વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો- રાજકોટ ડિમોલિશનમાં અધિકારીઓએ કટકી કરી, ભાજપના નેતાએ ઉઠાવ્યા સવાલ
અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહ્યું છે ત્યારે હવે ટ્રાફિક મેનેજમેન્ટમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થયો. એઆઈ આધારિત ડેટા એનાલિસિસ દ્વારા શહેરના 18 સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંક્શનોની ઓળખ કરવામાં આવી છે, જેમાં આરટીઓ, અનુપમ, સીટીએમ અને દાણીલીમડા જેવા વિસ્તારો ટોચ પર રહ્યા છે. AI દ્વારા તૈયાર કરાયેલા આ ડેટામાં સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન વાહનોની અવરજવર, ટ્રાફિક ડેન્સિટી અને રસ્તાઓ પરના દબાણનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.