બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાડજમાં બે સહિત શહેરમાં 3 લોકોએ જીવન ટૂંકાવ્યું
Last Updated: 03:49 PM, 26 June 2026
અમદાવાદ શહેરાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ વિવિધ વિસ્તારોમાં ત્રણ વ્યક્તિના અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ સામે આવી છે. પોલીસે ત્રણેય બનાવમાં અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાડજ વિસ્તારમાં ગોધરાના રહેવાસી અને ઈન્કમટેક્સ સ્થિત એક ઑફિસમાં કામ કરતા 19 વર્ષીય હેમેન્દ્ર મીણાએ ઑફિસમાં જ સીલિંગ ફેનની પાઈપ સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હતું.
ADVERTISEMENT
બીજી તરફ જૂના વાડજમાં રહેતા 32 વર્ષીય નિમેષ હેમચંદાનીએ પોતાના નિવાસસ્થાને પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી. વટવા જીઆઈડીસી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ વડોદરાના રહેવાસી 32 વર્ષીય પ્રહલાદ ઝાલાએ લોખંડની પાઈપ સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો- ટ્રાફિકની સમસ્યાથી અમદાવાદીઓ ત્રાહિમામ? પૂર્વ અમદાવાદ બન્યું એપી સેન્ટર
ADVERTISEMENT
ત્રણેય બનાવોાં પોલીસે અકસ્માત મોતનો મામલો નોંધી આત્મહત્યાનાં કારણો જાણવા પરિવારજનો અને અન્ય લોકોના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.