બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / હળવદના બ્રાહ્મણી ડેમ-2 ખાતે ખેડૂતોનો હલ્લાબોલ, પિયતના પાણીની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા

ગુજરાત / હળવદના બ્રાહ્મણી ડેમ-2 ખાતે ખેડૂતોનો હલ્લાબોલ, પિયતના પાણીની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા

Nidhi Panchal

Last Updated: 02:26 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતે આવેલા બ્રાહ્મણી ડેમ-2 પર ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ પિયતના પાણીની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. કેનાલમાં પાણી ન છોડાતા ખેતી અને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી ડેમ-2 ખાતે આજે ખેડૂતો દ્વારા પિયતના પાણીની માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ ઉઠાવી હતી. ખેડૂતોનું કહેવું છે કે પાકના વાવેતર બાદ હવે સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ છે, પરંતુ કેનાલમાં પાણી ન આવતાં ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

khedut-brahmani-dam

ગામોમાં પિયતનું પાણી પહોંચાડવામાં આવે

બ્રાહ્મણી ડેમ-2માંથી ધનાળા, મયુરનગર, ધુળકોટ, સુરવદર, ટીકાર, ઘાટીલા, દેવળીયા સહિત સાતથી વધુ ગામોમાં પિયતનું પાણી પહોંચાડવામાં આવે છે. આ ગામોના ખેડૂતો હાલમાં પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆત બાદ મગફળી, કપાસ સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ હવે પાકના વિકાસ માટે નિયમિત સિંચાઈ જરૂરી બની છે.

narmada-cancel

સમયસર પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની શક્યતા

ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની શક્યતા છે અને તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. આ કારણોસર મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ પર પહોંચ્યા અને જવાબદાર તંત્ર સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી. ખેડૂત ચમન દલવાડીએ જણાવ્યું હતું કે કેનાલમાં લાંબા સમયથી પાણી છોડવામાં આવ્યું નથી. જેના કારણે માત્ર ખેતી માટે જ નહીં પરંતુ પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા ઉભી થઈ છે. તેમણે જણાવ્યું કે ગામોમાં પાણીની ભારે તંગી છે અને ખેડૂતોને રોજિંદા જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : સિંહ હુમલામાં બાળકે ગુમાવ્યો હતો જીવ, અર્જુન મોઢવાડિયા ચતુરી ગામની મુલાકાતે, પીડિત પરિવારને મળ્યા

ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો મગફળી, કપાસ અને અન્ય પાકોને મોટું નુકસાન થશે. તેમણે સરકાર અને સિંચાઈ વિભાગને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. ખેડૂતોની માંગ છે કે બ્રાહ્મણી ડેમ-2માંથી નિયમિત રીતે પિયતનું પાણી છોડવામાં આવે જેથી ખેતી બચાવી શકાય અને ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Protest Halvad News Brahmani Dam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ