BCCIના એક વડા અધિકારીએ કહ્યું કે સિલેક્શન કમિટીમાં અધ્યક્ષ સહિત બે નવા સદસ્યો આવવા છતાં એમ એસ ધોનીના વલણને લઈને કોઈ ફેરફાર નહિ થાય. અને T-20 વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવવા માટે IPLમાં સારું પ્રદશન કરવું પડશે.
ધોનીનું IPLમાં સારું પ્રદશન હશે તો T-20માં શામેલ કરાશે
છેલ્લા ઘણા સમયથી ધોની ક્રિકેટથી દુર છે
હાલ ધોનીને લઈને અવનવી અટકળો સામે આવી રહી છે
સુનીલ જોશીની અધ્યક્ષતા વાળી સિલેક્શન કમિટીમાં રવિવારે અમદાવાદમાં થયેલી બેઠકમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 12 માર્ચે શરૂ થનારી ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ વિષે વાત કરી હતી.
હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને શિખર ધવને ટીમમાં જગ્યા બનાવી. પાછલા અધ્યક્ષ એમ.એસ.કે પ્રસાદે સાફ કહ્યું હતું કે ધોનીએ ટીમમાં જગ્યા બનાવવા માટે IPLમાં સારું પ્રદશન કરવું પડશે.
જુલાઈમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ થયેલ વર્લ્ડ કપની સેમી ફાઈનલ બાદ ધોની ક્રિકેટથી દુર છે. જ્યારે હવે તે 29 માર્ચથી શરુ થનારી IPLમાં ફરીવાર કમબેક કરશે.
બોર્ડના એક સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે હાલમાં યોજાયેલી બેઠકમાં મુદ્દાની જ વાત થઈ છે અને ધોની વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી.
બોર્ડે કહ્યું છે કે "IPLમાં સારું પ્રદશન કરશે તો જ ધોનીને ટીમમાં જગ્યા મળશે. આ વાત માત્ર ધોની પર જ લાગુ નથી થતી પણ ભારતના ઘણાં સીનિયર અને યુવા ખેલાડીઓને પણ લાગુ પડે છે. અને સારું પ્રદશન કરવાથી નવા ખેલાડીઓ પર પણ વિચાર કરવામાં આવશે.
T-20 વર્લ્ડ કપ ઓક્ટોબર નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ IPLમાં સારા પ્રદશન પર ધોનીને શામેલ કરવાના સંકેત આપ્યા છે.
ધોનીનો માનીતો પ્લેયર રિષભ પંતનું ખરાબ પ્રદશન ચાલતું હોવાથી કે.એલ.રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવામાં આવે છે. જેનાથી ધોનીના કમબેકની અટકળોની સંભાવનાને ખોટી પણ ન માની શકાય.