બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 09:30 AM, 10 September 2023
મોરોક્કોમાં શુક્રવારે ખૂબ જ ભારે ભૂકંપ આવ્યો હતો, જેમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. મોરોક્કોના આંતરિક મંત્રાલયે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, આ ભૂકંપમાં બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં અનેક લોકોની હાલત ગંભીર છે. નિવેદન અનુસાર 2,012 લોકોના લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે અને 2,059 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 1,404 લોકોની હાલત ગંભીર છે.
6.8ની તીવ્રતાનો ભૂકંપ
કૈસાબ્લાંકાથી મરાકેશ સુધી દેશનાં વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે, ત્યારપછી અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સાંજે 6 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં ઉચ્ચ એટલસ પર્વતમાં હતું.
#Morocco Amzmiz: A poignant moment for one of the Royal Gendarmerie officers after the loss of his comrade due to the #earthquake that struck the region." 💔🇲🇦 #MoroccoEarthquake #المغرب #زلزال_المغرب #Morocco #earthquake #Marruecos #Marrakech #earthquakemorocco pic.twitter.com/VJge0N5mgk
— DailyDose (@DDose27191) September 10, 2023
બચાવ અને રાહત કાર્ય
માનવામાં આવી રહ્યું છે કે, અનેક લોકો આ કાટમાળ હેઠળ દબાયેલ છે અને રાહત બચાવ કરવામાં આવી રહ્યું છે. અનેક મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે. મૃતકોનો આંકડો વધવાની આશંકા છે. દેશના શાહી મહેલે ત્રણ દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રભાવિત ક્ષેત્રોમાં સ્વચ્છ પાણી, ફૂડ પેકેટ, તંબૂ અને ધાબળા આપવા માટે રાહત બચાવ દળ તહેનાત કરવામાં આવશે.
ભારત તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપથી જીવ ગુમાવનાર પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે, ‘મોરોક્કોમાં ભૂકંપથી થયેલ જાનહાનિને કારણે અત્યંત દુ:ખ થયું છે. આ દુ:ખભરી ઘડીમાં મોરોક્કોના લોકો સાથે મારી સંવેદના છે. ભારત આ કઠિન પરિસ્થિતિમાં તમામ સંભવ મદદ આપવા માટે તૈયાર છે.’
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime