બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / monsoon 2020 flood DYCM nitin patel press government help farmer

સારા સમાચાર / ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને ડે.સીએમ નીતિન પટેલે કરી મોટી જાહેરાત

Gayatri

Last Updated: 04:08 PM, 31 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદે સર્જેલી તારાજીને પગલે રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી.

  • વરસાદથી નુકસાની પેટે વળતર અપાશે
  • ખેડૂતોને નુકસાન થશે તો વળતર અપાશે
  • રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સહાય કરાશે

ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં શરૂઆતમાં સારો વરસાદ પડ્યો હતો. જોકે બાદમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોને જે પણ નુકસાન થયું છે. તેનું વળતર આપવામાં આવશે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે થશે અને નુકસાન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય કરવામાં આવશે.

 

રાજ્યમાં અત્યાર સુધી 120 ટકા સરેરાશ વરસાદ

રાજ્યમાં અવિરત વરસાદ યથાવત છે. રાજ્યમાં અત્યાર સુધી 120 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 251.66 ટકા સરેરાશ વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાહત કમિશનરે આ અંગે માહિતી આપતા રહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિ સંપુર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં NDRFની 13 અને SDRFની 2 ટીમો તૈનાત છે. જ્યારે NDRF-SDRFની અન્ય 11 ટીમો સ્ટેન્ડ બાય છે. આ ઉપરાંત રાજ્યના 154 જળાશયો હાઇ એલર્ટ પર છે. જ્યારે 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો વોર્નિંગ પર છે. સતત વરસાદના કારણે રાજ્યની 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફ્લો થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

DyCM Nitin Patel Government monsoon 2020 ખેડૂત ચોમાસું નીતિન પટેલ વરસાદ Monsoon 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ