બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Modi Government May Change The Rule Of Gratuity, Time Period Can Become Between One To Tree Year
ADVERTISEMENT
હાલ નિયમ મુજબ ગ્રેચ્યુઈટી માટે કર્મચારીએ 5 વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કરવું જરૂરી છે. ત્યારે કેટલાક કર્મચારીઓ 5 વર્ષ પહેલા જ કંપની બદલી દે છે જેનો ફાયદો કંપનીઓને થાય છે.
સરકાર 2 વિકલ્પ પર કરી રહી છે વિચાર
ADVERTISEMENT
હાલ બે વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં એક વિકલ્પ છે કેટલાક સેક્ટરમાં બદલાવ કરવામાં આવે અને બીજો છે તમામ માટે ગ્રેચ્યુઈટીની સમય સીમા ઓછી કરી દેવામાં આવે.

ADVERTISEMENT
આ 2 વિકલ્પના કારણે થઈ શકે છે નિયમમાં ફેરફાર
ગ્રેચ્યુઈટીમાં બદલાવ કરવાની બે મહત્વના કારણ છે. જેમાં પહેલો છે જોબ સિક્યોરિટી જે પહેલાની તુલનામાં ઘટી ગઇ છે. અને બીજું છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની વધતી સંખ્યા. જેના કારણે ગ્રેચ્યુઈટીનો ફાયદો કંપનીઓને જ થાય છે.
ADVERTISEMENT
PF જેવી થશે ગ્રેચ્યુઈટીની વ્યવસ્થા?
સરકાર ગ્રેચ્યુઈટીને પણ PFની વ્યવસ્થાની જેમ બનાવાની કોશિશમાં છે
નોકરી બદલવા પર ગ્રેચ્યુઈટી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી શકાય
સરકાર સમગ્ર ગ્રેચ્યુઈટી સ્ટ્રક્ચરમાં બદલાવ કરવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT

જાણો શું હોય છે ગ્રેચ્યુઈટી
ADVERTISEMENT
એક જ કંપનીમાં સતત અનેક વર્ષો સુધી કામ કરનારા વ્યક્તિને સેલેરી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ સિવાય પણ ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. ગ્રેચ્યુઈટીનો નાનો ભાગ કર્મચારીની સેલેરીમાંથી કપાય છે. પરંતુ મોટો ભાગ કંપની તરફથી આપવામાં આવે છે. અત્યારની વ્યવસ્થા અનુસાર કોઈ વ્યક્તિ એક કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ કામ કરે છે ત્યારે તે ગ્રેચ્યુઈટીનો હકદાર બને છે. ઉલ્લેખનીય છે કે આ નિયમ જે પણ કંપનીમાં 10 કે તેનાથી વધારે કર્મચારીઓ હોય છે ત્યાં જ લાગૂ પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.