પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જેની અસર આખા દેશ પર થશે.
મોદી સરકારની કેબિનેટ બેઠક
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું ત્રીજું ચરણ શરૂ થશે
મોબાઈલ કનેક્ટિવિટી માટે પણ મોટો નિર્ણય લેવાયો
આજે બુધવારનાં રોજ મોદી સરકાર દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ કરીને તમામ નિર્ણયોની જાહેરાત કરી હતી.
In over 7000 villages of 44 aspirational dists across Andhra Pradesh, Chhattisgarh, Jharkhand, Maharashtra & Odisha, mobile towers connectivity will be provided. It has been decided to provide 4G mobile services. Project is expected to be worth Rs 6466 cr: Union Min Anurag Thakur pic.twitter.com/MXEdXhGICl
બે મોટા નિર્ણય
કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર હવે તેવી જગ્યાઓ પર ટેલિકોણ સુવિધા ઊભી કરવામાં આવશે જ્યાં અત્યારે પણ મોબાઈલ કનેક્ટિવિટી નથી. આ સિવાય ગ્રામીણ જગ્યાઓને સડકોથી જોડવા માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાને ફરી શરૂ કરવામાં આવશે, જેથી દેશના ગામેગામને સડકોથી જોડવામાં આવે.
સાત હજાર ગામોમાં 4G સુવિધા
કેન્દ્ર સરકારનો નિર્ણય છે કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશના સાત હજાર ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે, આ ગામડાઓમાં 4G સુવિધા ઊભી કરવામાં આવશે અને સમગ્ર પ્રોજેક્ટમાં 6466 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
Areas that were not covered for road connectivity under phases 1-2 of Pradhan Mantri Gram Sadak Yojana or the Left-Wing Extremism affected areas & the tribal areas are going to be benefitted. Roads will be built through dense forests, mountains & rivers: Union Min Anurag Thakur pic.twitter.com/A4yysOWPrD
Areas that were not covered for road connectivity under phases 1-2 of Pradhan Mantri Gram Sadak Yojana or the Left-Wing Extremism affected areas & the tribal areas are going to be benefitted. Roads will be built through dense forests, mountains & rivers: Union Min Anurag Thakur pic.twitter.com/A4yysOWPrD
ગામેગામ રસ્તાઓનું નેટવર્ક ઊભું કરાશે
મોબાઈલ સિવાય રોડ કનેક્ટિવિટી માટે પણ આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું ત્રીજું ચરણ શરૂ કરવામાં આવશે જે હેઠળ જે ગામડાઓમાં આજે પણ રોડ નથી ત્યાં રોડ બનાવવામાં આવશે. જંગમ વિસ્તારો જેવા કે પહાડો, નદી-નાળા હોય તેવી જગ્યાઓ પર રસ્તા બનાવવામાં આવશે અને નાના પૂલ બનાવવાની પણ યોજના છે.