બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / matire ki rad story of war between two bikaner and nagaur principality for a watermelon know the reason behind it
Premal
Last Updated: 02:59 PM, 31 December 2021
ઈ.સ. 1644માં એક યુદ્ધ ફક્ત એક તરબૂચ માટે લડાયુ હતુ. આજથી લગભગ 376 વર્ષ પહેલાં ખેલાયેલા આ યુદ્ધમાં હજારો સૈનિકોના મોત થયા હતા. આવો જાણીએ આ યુદ્ધ વિશે. વિશ્વનું પહેલુ એવુ યુદ્ધ છે, જે માત્ર એક ફળ માટે કરવામાં આવ્યું હતુ. ઈતિહાસમાં આ યુદ્ધ 'મતીરે કી રાડ' ના નામે નોંધાયેલુ છે. રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં તરબૂચને મતીરાના નામથી ઓળખવામાં આવે છે અને રાડનો અર્થ લડાઈ થાય છે. આજથી 376 વર્ષ પહેલાં ઈ.સ. 1644માં આ અનોખુ યુદ્ધ લડાયુ હતુ. તરબૂચ માટેની આ લડાઈ બે રજવાડાઓ વચ્ચે થઇ હતી.
બંને રજવાડાઓ વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ
બિકાનેર રાજ્યના સીલવા ગામ અને નાગૌર રાજ્યના જાખણિયાં ગામની સરહદો એકબીજા સાથે જોડાયેલી હતી. આ રજવાડાઓની અંતિમ સીમા હતી આ બંને ગામ. બિકાનેર રાજ્યની સરહદમાં એક તરબૂચનું વૃક્ષ હતુ અને નાગૌર રાજ્યની સીમામાં તરબૂચનું એક ફળ હતુ. આ ફળ યુદ્ધનું કારણ બન્યું. સીલવા ગામના રહેવાસીઓનું કહેવુ હતુ કે આ વૃક્ષ તેમણે અહીં લગાવેલુ છે, જેથી આ ફળ પર તેમનો અધિકાર છે. તો નાગૌર રાજ્યના લોકોનું કહેવુ હતુ કે ફળ તેમની સરહદમાં છે, તો આ ફળ તેમનુ થયુ. આ ફળ પરના અધિકારને લઇને બંને રજવાડાઓ વચ્ચે છેડાયેલા યુદ્ધે ખૂની જંગનુ સ્વરૂપ લીધુ.
રાજાઓને હતી જ નહીં યુદ્ધની જાણકારી
જણાવવામાં આવ્યું છે કે સિંઘવી સુખમલે નાગૌરની સેનાનું નેતૃત્વ કર્યુ હતુ, જ્યારે રામચંદ્ર મુખિયાએ બિકાનેરની સેનાનું નેતૃત્વ સંભાળ્યું હતુ. સૌથી મહત્વની વાત એ છે કે આ યુદ્ધ અંગે બંને રજવાડાઓના રાજાઓને કોઈ જાણકારી નહોતી. જ્યારે આ યુદ્ધ થયુ હતુ ત્યારે બિકાનેરના શાસક રાજા કરણ સિંહ એક અભિયાન પર હતા બીજી તરફ નાગૌરના શાસક રાવ અમરસિંહ મુઘલ સામ્રાજ્યની સેવામાં રોકાયેલા હતા.
બિકાનેરના રજવાડાની જીત થઈ હતી
મુઘલ સામ્રાજ્યની આધિનતાને આ બંને રાજાઓએ સ્વીકાર કર્યો હતો. જ્યારે આ યુદ્ધ અંગે બંને રાજાઓને જાણકારી મળી તો તેમણે મુઘલ શાસકોને યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી. પરંતુ જ્યારે આ વાત મુઘલ શાસકો સુધી પહોંચી ત્યાં સુધી યુદ્ધ છેડાઈ ગયુ હતુ. આ યુદ્ધમાં બિકાનેરના રજવાડાની જીત થઈ હતી, પરંતુ જણાવવામાં આવે છે કે બંને તરફથી હજારો સૈનિકોના મોત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime