દારૂ કૌભાંડમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની તકલીફ વધતી દેખાઇ રહી છે. આજે સિસોદિયાના ઘરે 15 કલાક CBIના દરોડા ચાલ્યા.
સિસોદિયાના ઘરે 15 કલાક ચાલ્યા CBIના દરોડા
CBIના દરોડાને લઇ મનિષ સિસોદિયાનું નિવેદન
CBI મારો ફોન છીનવીને લઇ ગઇઃ સિસોદિયા
CBIના દરોડા કેટલાક કલાકોથી ચાલી રહ્યા છે, દાવો એ પણ કરી દીધો છે કે તેમના વિરૂદ્ધ એક મજબૂત કેસ તૈયાર થયો છે. તેવામાં સવાલ ઉઠે છે કે આ તપાસમાં આગામી મોટુ પગલું શું રહેવાનું છે? શું મનીષ સિસોદિયાની ધરપકડ કરી લેવામાં આવશે?
સમગ્ર વિવાદ પર મનીષ સિસોદિયા શું બોલ્યા?
સીબીઆઈના એક્શનથી મનીષ સિસોદિયા નારાજ થયા છે. મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતા તેમણે સીધા કેન્દ્ર સરકાર પર પોતાના પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આજે સવારે સીબીઆઈની ટીમ આવી હતી, તેમણે આખા ઘરમાં શોધખોળ કરી. મારું કોમ્પ્યુટર અને પર્સનલ મોબાઇલ સીઝ કરીને લઇ ગયા છે. મેં અને મારી ફેમિલીએ સંપૂર્ણ સહયોગ આપ્યો તપાસમાં, આગળ પણ તપાસ થશે તો સહયોગ આપીશું. અમે કંઇ ખોટું નથી કર્યું, કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો. એટલા માટે અમને ડરી નથી રહ્યા. અમે કટ્ટર ઇમાનદાર લોકો છીએ. અમે લાખો લોકોની સારવાર ઇમાનદારીથી કરી છે.
#WATCH | Efforts are being made to stop the good works of the Delhi government. We've not done anything wrong. They (CBI) have not called me (for further questioning). CBI has taken my computer, phone and some files: Delhi Deputy CM Manish Sisodia on #CBIRaidpic.twitter.com/vmtjyVVoeF
મનીષ સિસોદિયા વિરૂદ્ધ હવે શું થશે?
હવે જો માહિતી સામે આવી રહી છે, તેમના અનુસાર, CBIએ સિસોદિયા વિરૂદ્ધ એક મજબૂત કેસ તૈયાર કરવામાં આવ્યો છે. મજબૂત કેસથી મતલબ એ છે કે તપાસ એજન્સીની પાસે જરૂરી પુરાવા છે જેનાથી સિસોદિયાને આ મામલે દોષી કરાર આપી શકે છે. આમ મોટી વાત એ છે કે રેડ બાદ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવી શકે છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે સીબીઆઈના દરોડા દરમિયાન જે પણ દસ્તાવેજ એકત્ર કર્યા છે, તેનાપર સિસોદિયાના સિગ્નેચર પણ લેવામાં આવશે.