બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'કોના માટે કાયદો અને કોના માટે ફાયદો..' મનિષ દોશીએ PSI જે.એમ. પઠાણના મોત પર ઉઠાવ્યા સવાલ
Last Updated: 06:26 PM, 5 November 2024
સુરેન્દ્રનગરનાં દસાડા પાસેથી પસાર થઈ રહેલ દારૂની ગાડી રોકવાનો પ્રયાસ સ્ટેટ મોનિંટરીંગ સેલનાં પીએસઆઈ જે.એમ.પઠાણ કરી રહ્યા હતા. તે દરમ્યાન બુટલેગરે દારૂ ભરેલ ગાડી પીએસઆઈ પર ચડાવી દીધી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પીએસઆઈને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈ હવે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપોનો મારો શરૂ કર્યો છે.
ADVERTISEMENT
ભ્રષ્ટ્રાચારનાં કારણે બુટલેગરને કોઈ ડર રહ્યો નથીઃ ડો.મનીષ દોશી (કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ)
આ સમગ્ર ઘટના બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડો. મનીષ દોશીએ ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કર્યા હતા. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ચૂંટણી જીતવા અને હવે સત્તા બચાવવા બુટલેગરોને લૂંટનો પરવાનો આપ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનાર ગૃહમંત્રી જવાબ આપે કોના માટે કાયદો અને કોના માટે ફાયદો છે. રાજકીય આશ્રય અને ભ્રષ્ટ્રાચારનાં કારણે બુટલેગરને કોઈનો ડર રહ્યો નથી. જે ગામમાં દૂધનાં ટેન્કર ફરતા હતા ત્યાં હવે દારૂનાં ટેન્કરો ઠલવાઈ રહ્યા છે. તેમજ સરકાર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે.
ADVERTISEMENT
કોંગ્રેસ પણ પરિવારજનોને સાંત્વના આપે : યજ્ઞેશ દવે
ADVERTISEMENT
આ સમગ્ર મામલે ભાજપનાં યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આવી ઘટનામાં કોંગ્રેસ પક્ષે રાજકારણ ના કરવું જોઈએ. કોંગ્રેસ ખોટી રાજનીતિ કરે છે, પરિવારને સાંત્વનાં આપવી જોઈએ. ગુજરાત સરકાર દારૂબંધી અને ડ્રગ્સ પર મુહિમ ચલાવી રહી છે. જેમાં ગુજરાત સરકારને સફળતા મળી છે. સુરેન્દ્રનગરમાં દશાડા ખાતે SMC ના PSI નું મૃત્યું થયું છે. ગુનેગારોને પકડવા જતા પીએસઆઈ ટ્રેલરની પાછળનાં ભાગમાં આવી ગયા હતા. દેશ અને ગુજરાત માટે પઠાણ શહીદ થયા છે. શહીદ થાય તો આમાં રાજકારણનાં રંગ ના આપવા જોઈએ. ભાજપ પરિવારજનોને સાંત્વનાં પાઠવી રહી છે. કોંગ્રેસ પણ પરિવારજનોને સાંત્વના આપે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.