બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:07 AM, 10 February 2025
Mahakumbh 2025 : પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં દરરોજ લાખો ભક્તોની ભીડ ઉમટી રહી છે. જેના કારણે પ્રયાગરાજ છેલ્લા એક અઠવાડિયાથી ટ્રાફિક જામનો સામનો કરી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે, મુખ્ય માર્ગ ઉપરાંત શહેર અને ગ્રામીણ વિસ્તારોની શેરીઓમાં પણ ટ્રાફિક જામ છે. જેના કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરની આસપાસ 30 કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે. મહાકુંભમાં ભક્તોની ભીડ એટલી બધી હોય છે કે, સ્ટેશનો પર પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. ભીડને ધ્યાનમાં રાખીને સંગમ (દારાગંજ) સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજની સરહદે આવેલા જિલ્લાઓ જેમ કે ભદોહી, જૌનપુર, મિર્ઝાપુર, કૌશાંબી, ફતેહપુર, સતના, રેવા, ચિત્રકૂટ, જબલપુર વગેરેમાં ટ્રાફિક જામ છે અને સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નથી.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ મુર્મુ આજે પ્રયાગરાજમાં
રાષ્ટ્રપતિ મુર્મુ આજે એટલે કે સોમવારે પ્રયાગરાજ, મહાકુંભમાં આવી રહ્યા છે. પ્રયાગરાજ પહોંચ્યા પછી, તે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને મેળા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં છેલ્લા ઘણા વર્ષોના ભક્તોના આગમનના રેકોર્ડ તૂટી ગયા છે. જોકે, મૌની અમાવસ્યા પછી, ભક્તોના આગમનમાં થોડો ઘટાડો જોવા મળ્યો. પરંતુ ૫ ફેબ્રુઆરી પછી ફરી એકવાર ભક્તોનો પ્રવાહ શરૂ થયો છે.
ADVERTISEMENT
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni Sangam as people continue to take a holy dip.
— ANI (@ANI) February 10, 2025
As per the Uttar Pradesh Information Department, more than 41 crore people have taken a holy dip so far. pic.twitter.com/SUBo7tsyJK
એરપોર્ટથી આવતા રસ્તામાં પણ જામ
ADVERTISEMENT
દેશભરમાંથી ભક્તો વાહનોમાં સંગમ પહોંચી રહ્યા છે. ભીડને કારણે વાહનોની ગતિ થંભી ગઈ છે. પ્રયાગરાજના બંને રસ્તાઓ પર દિવસ અને રાત ટ્રાફિક જામ રહે છે. કારણ કે આ પાછળનું કારણ સંગમમાં આવતા ભક્તોની ભીડ છે. એટલું જ નહીં, સંગમમાં આવતા ભક્તો લગાવેલા બેરિકેડ તોડીને આવવા-જવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવાઈ મુસાફરી કરતા મુસાફરો સુરક્ષિત રીતે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે પરંતુ એરપોર્ટથી સંગમ પહોંચવામાં તેમને ઘણો સમય લાગી રહ્યો છે. આ ઉપરાંત ખાનગી વાહનોમાં આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, દર કલાકે લગભગ 6 થી 7000 વાહનો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. જામને કારણે વાહનો ઘણા કિલોમીટર સુધી દેખાય છે. આવી સ્થિતિમાં રસ્તા પર વાહનો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે.
#WATCH | Prayagraj, UP: Huge crowd of devotees continues to arrive at Maha Kumbh Mela Kshetra to take a holy dip in Triveni Sangam
— ANI (@ANI) February 10, 2025
Around 41 crore devotees have taken holy dip at #MahaKumbh2025 pic.twitter.com/kjCZNpxdjf
ADVERTISEMENT
જામને કારણે 20 મિનિટની મુસાફરીમાં બે થી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે. એટલું જ નહીં લોકો પોતાના વાહનો અને ડ્રાઇવરો છોડીને પગપાળા સંગમ તરફ જઈ રહ્યા છે અને તેઓ રસ્તાઓ પર પોતાના વાહનો પાછળ છોડીને ઘણા કિલોમીટર આગળ ચાલતા પણ જોવા મળી રહ્યા છે. મહાકુંભ માટે આવેલા એક ડ્રાઇવરના જણાવ્યા મુજબ, 12 કલાકની મુસાફરી 20 કલાકમાં ફેરવાઈ ગઈ છે. બસમાં બેઠેલા એક મુસાફરના જણાવ્યા મુજબ, તેની 13 કલાકની મુસાફરીમાં હવે 36 કલાકનો સમય લાગ્યો. પ્રયાગરાજમાં જામ હોવાને કારણે નજીકના જિલ્લાઓમાંથી પ્રયાગરાજ જતા વાહનોને રોકવા પડે છે. એક માહિતી અનુમાન મુજબ, મિર્ઝાપુર રૂટથી 500 થી વધુ વાહનો આવી રહ્યા છે. તેવી જ રીતે દર કલાકે 1500થી વધુ ગાડીઓ વારાણસી રૂટથી પ્રયાગરાજ પહોંચી રહી છે. આ ઉપરાંત 1800થી વધુ વાહનો ચિત્રકૂટ થઈને પ્રયાગરાજ આવી રહ્યા છે અને 1500થી વધુ વાહનો લખનૌ થઈને આવી રહ્યા છે.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni Sangam as people continue to take a holy dip
— ANI (@ANI) February 9, 2025
As per the Uttar Pradesh Information Department, more than 41 crore people have taken a holy dip so far pic.twitter.com/snsiuP1bMZ
ADVERTISEMENT
યુપીના પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં એકઠી થયેલી વિશાળ ભીડની અસર મધ્યપ્રદેશ સુધી અનુભવાઈ. મહાકુંભમાં જતા યાત્રાળુઓના વાહનોને કારણે મધ્યપ્રદેશમાં 200 થી 300 કિલોમીટરનો ભારે ટ્રાફિક જામ થયો હતો. આ કારણે રવિવારે પોલીસે વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક બંધ કરવો પડ્યો હતો. મધ્યપ્રદેશ પોલીસે ટ્રાફિક બંધ કરાવતાં મુસાફરો કલાકો સુધી રસ્તાઓ પર અટવાઈ ગયા હતા. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક દિવસ પહેલા ભારે ટ્રાફિક અને ભીડ ટાળવા માટે પ્રયાગરાજ તરફ જતા સેંકડો વાહનોને મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં રોકવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, પોલીસે વિવિધ જિલ્લાઓમાં વાહનોની અવરજવર બંધ કરી દીધી છે. એટલું જ નહીં વાહનમાં મુસાફરી કરી રહેલા લોકોને સલામત સ્થળ શોધવા માટે કહેવામાં આવ્યું.
મહાકુંભમાં અત્યાર સુધીમાં 40 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી#UttarPradesh #prayagraj #mahakumbh #mahakumbh2025 #mahakumbhmela #mahakumbhmela2025 #mahakumbhmelaprayagraj #harharmahadev #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 8, 2025
Vidoe Source: ANI pic.twitter.com/FWLKyDEIFU
ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં 200થી 300 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ
કટની જિલ્લામાં પોલીસ વાહનોમાંથી જાહેરાત કરવામાં આવી હતી કે, સોમવાર સુધી ટ્રાફિક બંધ છે. મધ્યપ્રદેશના મૈહર જિલ્લામાં પોલીસે વાહનોને કટની અને જબલપુર તરફ પાછા ફરવા અને ત્યાં જ રોકાવાનો નિર્દેશ આપ્યો. પોલીસે કહ્યું કે પ્રયાગરાજ તરફ આગળ વધવું અશક્ય હતું કારણ કે ત્યાં 200 થી 300 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ હતો. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં મધ્યપ્રદેશના કટની, મૈહર અને રેવા જિલ્લાના રસ્તાઓ પર હજારો કાર અને ટ્રકોની લાંબી કતારો જોવા મળી રહી છે. રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામનો સામનો કરી રહેલા પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે રેવાના ચકઘાટ ખાતે કટનીથી એમપી-યુપી બોર્ડર સુધીના 250 કિલોમીટર લાંબા રૂટ પર ભારે ટ્રાફિક જામ છે.
વધુ વાંચો : મહાકુંભને 17 દિવસ બાકી, જાણો અત્યાર સુધીમાં કેટલા કરોડ લોકોએ લગાવી ડૂબકી
પરિસ્થિતિ સુધરવામાં એક થી બે દિવસ લાગશે
લોકો કલાકો સુધી રસ્તાઓ પર ફસાયેલા રહે છે. રીવાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સાકેત પ્રકાશ પાંડેએ જણાવ્યું હતું કે, ભીડને કારણે રવિવારે અહીં ભારે ટ્રાફિક જામ થયો હતો. પરિસ્થિતિ એવી છે કે પરિસ્થિતિ સામાન્ય થવામાં એક કે બે દિવસનો સમય લાગવાની શક્યતા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રયાગરાજ વહીવટીતંત્ર સાથે સંકલન કર્યા પછી મધ્યપ્રદેશ પોલીસ વાહનોને પસાર થવા દે છે. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે, વાહનો 48 કલાક સુધી જામમાં ફસાયેલા રહ્યા હતા. એક વ્યક્તિએ દાવો કર્યો કે ૫૦ કિલોમીટરનું અંતર કાપવામાં ૧૦ થી ૧૨ કલાકનો સમય લાગી રહ્યો છે. MO પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, MP-UP બોર્ડર પર ભીડ અટકાવવા માટે તે વિવિધ સ્થળોએ વાહનોને રોકી રહી છે. રીવા જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, હજુ પણ પ્રયાગરાજ જતા લોકોની સંખ્યા ઓછી થઈ રહી નથી. રેવા-પ્રયાગરાજ રોડ પર વાહનો સતત આવી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે, હાઇવે પર ભારે ભીડને કારણે વાહનો બંધ કરી દેવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.