બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
લો બીપી (Low Blood Pressure) વ્યકિતએ વ્યકિતએ અલગ હોય છે અને તેમાં ઉંમર પણ ભાગ ભજવે છે. લો બીપી રહેતું હોય તેમણે તેમના રોજિંદા ભોજનમાં વિટામિન બી 12,ફાયબરવાળી ચીજો વધુ ખાવી જોઇએ. આ ઉપરાંત કેફિન હોય તેવા ચા-કોફી જેવા પીણા અને જયુસ પણ લો બીપીમાં રાહત આપે છે. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યકિતને કયારેક લો બીપી થાય તો તે ચિંતાની વાત નથી. પરંતુ વારંવાર બીપી નીચે જતું હોય તો ચેતી જવાની જરુર છે. આવા લોકોએ ડોકટરને મળવું જોઇએ.
લો બીપી માટેના કેટલાક કારણો ગંભીર હોય છે અને તેને અવગણવા જોઇએ નહીં. સગર્ભા મહિલામાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન લો બીપીની સમસ્યા જોવા મળે છે. જોકે તે સામાન્ય ગણાય છે. શરીરમાં લોહીની કમી સર્જાય ત્યારે પણ લો બીપી થાય છે. આંતરિક રકતસ્ત્રાવ,ડિહાઇડ્રેશન,કોઇ બિમારીના કારણે લોહીની કમી થઇ શકે છે. કેટલીક દવાઓ સતત લેવાથી તેની આડઅસરથી બીપી લો થાય છે.
ADVERTISEMENT

હાઇ બીપી,પાર્કિન્શન્સ,ડિપ્રેશન માટે લેવાતી દવાથી પણ લોહીનું દબાણ નીચુ જાય છે. હદયના વાલ્વની સમસ્યા કે હાર્ટ એટેક આવ્યા બાદ દર્દીને લો બીપી થઇ શકે છે. કેમ કે હદય શરીરની જરુરિયાત મુજબનું લોહી પમ્પ કરી શકતું નથી. અત્યારે મોટી સંખ્યામાં લોકો વિવિધ પ્રકારની એલર્જીથી પણ પિડાય છે. કેટલીક ચીજો ખાવાથી કે દવાની આડઅસરથી પણ એલર્જી થાય છે.
ADVERTISEMENT
ધુળના રજકણો અને વાતાવરણ બદલાય ત્યારે એલર્જીથી પિડાતા દર્દીઓની તકલીફ વધે છે. ખંજવાળ,ગળામાં સોજો,ઉપરાઉપરી છિંક આવવી એ એલર્જીના લક્ષણો છે. આવા દર્દીઓ પણ સમય જતાં લો બીપીનો ભોગ બને છે. શરીરમાં વિટામિન બી 12 કે ફોલિક એસિડની કમીથી પણ લો બીપી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.