બ્રેકિંગ ન્યુઝ
ભારત રત્ન અને મહાન ગાયિકા લતા મંગેશકરની તબિયત ફરી એક વાર બગડી છે. મુબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સમદાનીએ જણાવ્યું છે કે, લતા મંગેશકરની તબિયત ફરી એક વાર ખરાબ થઈ ગઈ છે. તેમની હાલત નાજૂક છે. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેઓ હાલમાં પણ ICUમાં છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Veteran singer Lata Mangeshkar's health condition has deteriorated again, she is critical. She is on a ventilator. She is still in ICU and will remain under the observation of doctors: Dr Pratit Samdani, Breach Candy Hospital
— ANI (@ANI) February 5, 2022
(file photo) pic.twitter.com/U7nfRk0WnM
ADVERTISEMENT
લતા મંગેશકરને 10 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને નિમોનિયા થયા બાદ સુર સામ્રાજ્ઞીને ભરતી કરવામા આવ્યા હતા. મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, જે તેમના ઘર લતા કુંજથી ફક્ત 500 મીટરના અંતરે છે. ડોક્ટર પ્રતીત સમદાની તેમની સારવાર કરી રહ્યા છે, જે ફેફસાના નિષ્ણાંત છે. તેમણે જ લતા દીદીનું હેલ્થ અપડેટ આપ્યું છે.
ADVERTISEMENT
પહેલા વેન્ટીલેટર હટાવી દીધું હતું
28 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લતા મંગેશકર પર દવાઓની સારી અસર થઈ રહી હતી. જે બાદ તેમને વેન્ટીલેટર પરથી હટાવીને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. માનવામાં આવી રહ્યું હતું કે, તેઓ જલ્દી સાજા થઈને ઘરે જઈ શકશે. જો કે, આજે ફરી એક વાર ફેન્સમાં ચિંતાના વાદળો છવાયા છે. સાથે જ ઈંડસ્ટ્રીના લોકો પણ તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.