બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કથાકાર રાજુબાપુના નિવેદનથી ઠાકોર અને કોળી સમાજ અકળાયો, પૂતળા સાથે સૂત્રોચ્ચાર કરાતા અટકાયત

વિરોધ / કથાકાર રાજુબાપુના નિવેદનથી ઠાકોર અને કોળી સમાજ અકળાયો, પૂતળા સાથે સૂત્રોચ્ચાર કરાતા અટકાયત

Last Updated: 01:55 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Botad News: કથાકાર રાજુબાપુની વિવાદીત ટિપ્પણીને લઈ કોળી સમાજે રાજુબાપુના વિરુદ્ધમાં મામલતદારને આવેદન આપ્યું છે

બોટાદમાં કથાકાર રાજુબાપુનો કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કથાકાર રાજુબાપુએ ઠાકોર કોળી સમાજ વિશે કરેલી ટીપ્પણીને લઇ કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે. કોળી સમાજે કથાકાર રાજુબાપુના વિરુદ્ધમાં મામલતદારને આવેદન આપ્યું છે. તથા લાગણી દુભાવવા બદલ કથાકાર રાજુબાપુ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

કોળી સમાજનો વિરોધ

વિવાદીત ટિપ્પણી બાદ ઠેર-ઠેર વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોળી અને ઠાકોર સમાજ દ્વારા રાજુબાપુનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. રાજુબાપુના પૂતળા સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે પૂતળા દહન થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચીને પૂતળું કબજે કર્યું હતું અને વિરોધ કરી રહેલા સમાજના આગેવાનોની અટકાયત કરી હતી.

સમાજની માગ શું?

કથાકાર રાજુ બાપુના વિવાદિત નિવેદનથી ઠાકોર-કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, સંત આવા શબ્દો બોલી શકે નહીં. કથાકાર રાજુ બાપુ ડુપ્લિકેટ સંત છે. કથાકારે માફી માંગી તે રીત યોગ્ય નથી. કથાકારે ઠાકોર અને કોળી સમાજ સામે આવીને માફી માંગવાની જરૂર છે. માફી નહીં માંગવા પર ઉગ્ર આંદોલન કરવામા આવશે

વાંચવા જેવું: ગુજરાત એલર્ટ! રાજ્યમાં એકાએક હીટ સ્ટ્રોકના કેસમાં વધારો, નોંધાયા કુલ 72 કેસ, બીમારીમાં પણ ઉછાળો

વ્યાસપીઠથી અવિવેક કેમ?

વ્યાસપીઠએ વંદનીય અને પૂજનીય સ્થાન છે. કથાનું પઠન કરનારી વ્યક્તિ વ્યાસપીઠ પર બેસે છે. વ્યાસપીઠ પવિત્ર કથા વાંચવા માટેનું સ્થાન છે. કથાકારે વિવાદિત નિવેદનો કે દ્રષ્ટાંતો ન આપવા જોઇએ. વ્યાસપીઠથી કોઇ સમાજ વિશે વિવાદિત ટિપ્પણી યોગ્ય નથી. વ્યક્તિ વિશેષ વિશેની ટિપ્પણી પણ યોગ્ય નથી. કોઇ ધર્મ,સમાજ કે જ્ઞાતિ વિશે અંગત મંતવ્ય ન આપવા જોઇએ. કથા સુસંગત દ્રષ્ટાંત અથવા શાસ્ત્રોક્ત વાતો કહેવી જોઇએ. સકારાત્મક વાતો, પરસ્પરના વ્યવહાર સુધરે તેવા દ્રષ્ટાંતો હિતાવહ છે. કથાકાર મનઘડત વાત કહે તે વ્યાસપીઠનું અપમાન છે

સંકળાયેલા મુદ્દાઓ

Botad News RajuBapu RajuBapu statement Rajeshgiri Bapu statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ