બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:31 PM, 22 April 2024
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ગુસ્સામાં અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો. આ કારણે BCCIએ તેની સામે કાર્યવાહી કરી છે. કોહલીને એવા બોલ પર આઉટ આપવામાં આવ્યો હતો જે કમરથી ઊંચા નો-બોલ જેવો દેખાતો હતો. જોકે, અમ્પાયરો અને બ્રોડકાસ્ટરે નિર્ણયને માન્ય રાખ્યો હતો. વિરાટે આ અંગે અમ્પાયરો સાથે દલીલ કરી હતી.
ADVERTISEMENT
why it’s always virat kohli? pic.twitter.com/XmjXwSD9hV
— ٍ (@kohlibae) April 22, 2024
ADVERTISEMENT
મેચ ફીના 50 ટકા દંડ
આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ BCCIએ વિરાટને મેચ ફીના 50 ટકા દંડ ફટકાર્યો છે. કોહલીએ 7 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. કોહલીને જ્યારે આઉટ આપવામાં આવ્યો ત્યારે તે પેવેલિયન પરત ફરતી વખતે ખૂબ જ ગુસ્સામાં હતો. તેણે ગ્લોવ્ઝ એવા ફેંક્યા હતા કે ડસ્ટબીન પડી ગયું હતું.. બીસીસીઆઈ તેના વર્તનથી નારાજ છે અને તેથી દંડ ફટકાર્યો છે.
ADVERTISEMENT
Virat Kohli fined 50% of his match fees for breaching IPL Code Of Conduct 🧐#ViratKohli #MIvsRR #RRvMI pic.twitter.com/veeTmKh9Fk
— Richard Kettleborough (@RichKettle07) April 22, 2024
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
RCBની ઇનિંગની ત્રીજી ઓવરના પહેલા બોલ પર વિરાટને આઉટ આપવામાં આવ્યો હતો. વિરાટ હર્ષિત રાણાના ફુલ ટોસ બોલને યોગ્ય રીતે રમી શક્યો નહોતો. બોલ તેના બેટ સાથે અથડાયો અને બોલરના હાથમાં ગયો. વિરાટે દાવો કર્યો હતો કે ફુલ ટોસ બોલ કમરથી ઉપર હતો. આ માટે તેણે રિવ્યુ લીધો. સમીક્ષા તેની તરફેણમાં ન હતી. ત્રીજા અમ્પાયરે જણાવ્યું કે જ્યારે કોહલી ક્રિઝની બહાર હતો ત્યારે હર્ષિતનો બોલ નીચેની તરફ જતો હતો. વિરાટ આ નિર્ણયથી ઘણો નિરાશ જોવા મળ્યો હતો. પેવેલિયન પરત ફરતા પહેલા તેણે અમ્પાયરો સાથે ઉગ્ર દલીલ કરી હતી. તેણે બેટ મારીને પોતાની નારાજગી વ્યક્ત કરી અને મેદાન છોડ્યા બાદ તેણે ડગઆઉટ પાસેના ડસ્ટબિન પર પોતાના ગ્લોવ્ઝ ફેંકી ડસ્ટબિન પાડી દીધું હતું.. તેના પગલાને ધ્યાનમાં રાખીને BCCIએ દંડ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
કોહલીએ ભૂલ સ્વીકારી લીધી
ADVERTISEMENT
"રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલી પર ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 ની 36મી મેચ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં તેમની મેચ દરમિયાન આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે," આઈપીએલે એક નિવેદનમાં જણાવ્યું હતું. ફીના 50 ટકા દંડ લાદવામાં આવ્યો છે. કોહલીએ IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.8 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો છે. તેણે ગુનો સ્વીકાર્યો અને મેચ રેફરીની મંજૂરી સ્વીકારી. આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.