બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / know the rules full and final settlement notice period compulsory after resignation from the company

તમારા કામનું / રાજીનામું આપ્યા બાદ નોટિસ પીરિયડ ભરવો ફરજીયાત છે? જાણો તેના માટેના શું છે નિયમો

Arohi

Last Updated: 06:54 PM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગભગ તમામ કંપનીઓમાં કર્મચારીઓએ રેઝિગ્નેશન પછી નોટિસ પીરિયડ પૂરો કરવો પડે છે પરંતુ શું તે જરૂરી છે?

  • દરેક કંપનીઓમાં હોય છે નોટિસ પીરિયડનો નિયમ 
  • કર્મચારીઓએ ફરજીયાત પુરો કરવો પડે નોટિસ પીરિયડ? 
  • જાણો શું છે તેના માટેનો નિયમ 

દરેક લોકો સારો અભ્યાસ કરીને સારી નોકરી મેળવવાની અપેક્ષા રાખે છે. એવા ઘણા ઓછા લોકો છે જેઓ તેમની આખી જીંદગી એક જ કંપનીમાં કામ કરીને વિતાવે છે. સારા પદ અને સારા પગાર માટે લોકો સમયાંતરે નોકરીઓ બદલવા માટે રેઝિગ્નેશન પણ આપે છે. જો કે રેઝિગ્નેશન પછી પણ ત્યાં એક પ્રોસેસ છે જેનું પાલન કર્મચારીએ કરવું પડે છે.

નોટિસ પીરિયડ પોલિસી
જ્યારે કોઈ કંપનીમાં જોડાય છે ત્યારે ઘણી પેપર્સની ફોર્માલિટીઝ કરવામાં આવે છે અને માહિતી લેવામાં આવે છે. ત્યાં જ આ દરમિયાન ઘણી માહિતી પણ આપવામાં આવે છે અને નોટિસનો સમયગાળો પણ જણાવવામાં આવે છે. લગભગ દરેક કંપનીમાં કર્મચારીઓ માટે નોટિસ પીરિયડની પોલિસી હોય છે. જો કોઈ કંપનીમાં કોઈ કર્મચારી રાજીનામું આપે છે. તો કંપની તેને નોટિસ પીરિયડ પૂરો કરવા કહે છે.

આ કારણે કંપની ભરાવે છે નોટિસ પીરિયડ
મહત્વનું છે કે નોટિસ પીરિયડ એ સમય છે જ્યારે તમારા એમ્પ્લોયરને ખબર પડે છે કે તમે કંપની છોડી રહ્યા છો. પછી તે સમયગાળામાં કંપની તમારા રિપ્લેસમેન્ટની શોધ શરૂ કરે છે. જેથી તમારા જવાને કારણે ખાલી પડેલી પોસ્ટને ભરવા માટે અન્ય કોઈ વ્યક્તિને લાવવામાં આવે. તમારા દ્વારા રાજીનામું આપતા જ ​​તમારો નોટિસ પિરિયડ શરૂ થાય છે.

શું નોટિસ પીરિયડ સર્વ કરવો છે જરૂરી? 
હકીકતે જો તમે કોઈપણ કંપનીમાં જોડાઓ છો તો ચોક્કસપણે તમારી પાસેથી કોન્ટ્રાક્ટ પર સહી કરવામાં આવશે. આમાં નોટિસ પીરિયડ વિશે પણ માહિતી આપવામાં આવે છે. જો તમે આ કોન્ટ્રાક્ટ  પર સહી કરી છે. તો કંપનીના નિયમો અનુસાર તમારે નોટિસ પીરિયડ પૂરો કરવો જરૂરી છે કારણ કે કોન્ટ્રાક્ટ પર સહિ કરવાનો અર્થ એ છે કે તમે નોટિસ પીરિયડ પૂરો કરવા માટે પણ સહમત થયા છો.

ફરજ ન પાડી શકે કંપની 
જો કે કોઈપણ કંપની તમને નોટિસ પીરિયડ પૂરા કરવા માટે દબાણ કરી શકે નહીં. કેટલાક નિયમોનું પાલન કરીને તમે નોટિસ પીરિયડ પૂરા કર્યા વિના પણ કંપની છોડી શકો છો. હકીકતે કોન્ટ્રાક્ટમાં એક બીજું પાસું પણ છે, જો તમે નોટિસ પીરિયડ પૂરો ન કરો તો તમારે જેટલા દિવસ પહેલા જવું છે તેટલા દિવસનું એમાઉન્ટ કંપનીને ચુકવવાનું રહે છે. 

આ રીતે થાય છે સેટલમેન્ટ 
સામાન્ય રીતે આ રકમ તમારા મૂળ પગારમાંથી કાપવામાં આવે છે. ધારો કે જો તમારો નોટિસ પીરિયડ 30 દિવસનો છે પરંતુ તમે માત્ર 17 દિવસનો નોટિસ પિરિયડ આપો અને 13 દિવસ પહેલા કંપની છોડી દો તો તમારે બાકીના 13 દિવસની રકમ કંપનીને ચૂકવવી પડશે. આ સેટલમેન્ટ તમારી ફૂલ એન્ડ ફાઈનલ એમાઉન્ટમાં થઈ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Company Notice Period Resignation full and final settlement નોટિસ પીરિયડ રાજીનામું Resignation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ