બ્રેકિંગ ન્યુઝ
VTV / know how to create ration card
ADVERTISEMENT
રેશન કાર્ડ છે મહત્વનો દસ્તાવેજ
રેશન કાર્ડ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે અને રેશન કાર્ડ એક સરકારી દસ્તાવેજ છે અને તેનો ઉપયોગ ઓળખપત્ર તરીકે પણ કરવામાં આવે છે. તેની સાથે તેના થકી સરકારી રેશન ડેપોમાંથી યોગ્ય કિંમતે રેશન પણ મળે છે. આ કાર્ડ રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક વિતરણ પ્રણાલી અનુસાર પોતાના નાગરિકોને આપવામાં આવે છે. હાલમાં જ સરકારે વન નેશન વન કાર્ડની યોજનાને પણ લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં આ મહત્ત્વનો દસ્તાવેજ બનાવવો ખૂબ જરુરી છે.
રેશન કાર્ડનાં પ્રકાર
રેશન કાર્ડ ત્રણ પ્રકારનાં હોય છે. જેમાં બીપીએલ, એપીએલ અને એએવાઈ વર્ગમાં વિતરણ કરવામાં આવે છે. બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન જે કાર્ડ તે ગરીબ પરીવારોને આપવામાં આવે છે જે ગરીબી રેખાની નીચે આવે છે. આ કાર્ડ ધારકોને સરકાર 25થી 35 કિલો સુધીનું રેશન આપે છે. એપીએલ એટલે એબોવ પોવર્ટી લાઈન આ રેશન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જે ગરીબી રેખાની ઉપર છે અને આ કાર્ડ ધારકોને 15 કિલો સુધીનું અનાજ આપવામાં આવે છે. ત્રીજુ કાર્ડ એએવાય એટલે કે અંત્યોદય કાર્ડ જે એવા લોકોને આપવામાં આવે છે જે ખૂબજ ગરીબ છે અને ગરીબી રેખાની પણ નીચે છે. રાજ્ય સરકાર એવા પરિવારોને મહિને 35 કિલો સુધીનું અનાજ આપે છે.
ADVERTISEMENT
કેવી રીતે બનાવશો રેશન કાર્ડ
રેશન કાર્ડ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. દરેક રાજ્યોમાં રેશન કાર્ડ બનાવવાની રીત જુદી જુદી છે. જેને ઓફલાઇન પણ બનાવડાવી શકાય છે. ઉત્તર પ્રદેશનાં નિવાસિઓને રેશન કાર્ડ બનાવવા માટે આ લિંક https://fcs.up.gov.in/FoodPortal.aspx પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમારે એક્સેસ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જે માહિતી માંગી હશે તેને ભરી દો. જાણકારી ભરીને તેને પોતાના ક્ષેત્રનાં રેશન ડીલરને અથવા ફૂડ સપ્લાય વિભાગની ઓફિસમાં સોંપી દો. રેશન કાર્ડનું ફોર્મ જમા કર્યા હાજ તેની રિસીપ્ટ જરુરથી લો.
કયા ડોક્યુમેન્ટની જરુર પડશે
રેશન કાર્ડ બનાવવા માટે આ દસ્તાવેજ જરુરથી જોડે રાખો. જેમાં આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ હોવુ જરુરી છે. ઉપરાંત પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, આવકનું પ્રમાણ પત્ર, એડ્રેસ પ્રૂફ, બેંકની પાસબુકની પણ જરુર પડશે.
ADVERTISEMENT
રેશન કાર્ડ કોને મળી શકે છે
રેશન કાર્ડ બનાવવા માટે ભારતનાં નાગરિક હોવુ જરુરી છે
અરજદાર પાસે કોઇ પણ અન્ય રેશન કાર્ડ ના હોવુ જોઈએ
અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
18 વર્ષની ઓછી ઉંમરનાં બાળકોનાં નામ માતા-પિતાનાં રેશન કાર્ડમાં સામેલ કરવામાં આવે છે
રેશન કાર્ડ પરિવારનાં મોભીનાં નામે હોય છે
રેશન કાર્ડમાં સામેલ સભ્યોનાં મોભી સાથે સંબંધ હોવો જરુરી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.