દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું ભવિષ્ય સુરક્ષિત રહે પરંતુ વ્યવસ્થિત પ્લાનિંગ ન હોવાને કારણે ઘણી પરેશાની થાય છે. વૃદ્ધાવસ્થાને સિક્યોર કરવા માટે કરોડો લોકોએ કેન્દ્ર સરકારની અટલ યોજના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેના વિશે જાણી લો એટલે તમારી વૃદ્ધાવસ્થાના સમયમાં કોઇના સહારાની જરૂર ન રહે.
આજીવન પેન્શન યોજનાનો લાભ લો
સરકારી યોજનાનો લાભ લો
18 થી 40 ઉંમરના લોકો નોંધાવી શકે નામ
અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની એક સિક્યોરીટી સ્કિમ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને 1 હજારથી પાંચ હજાર સુધી પ્રતિ મહિનો પેન્શન આપે છે.
18 થી 40 વર્ષની ઉંમરનો કોઇ પણ વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં અકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજનાની સૌથી સારી વાત છે કે જલ્દી આ યોજનામાં નિવેશ કરાવશો તેટલુ જ પંડ જમા થશે.
કરોડો લોકોએ લીધો લાભ
અટલ પેન્શન યોજનાના સદસ્યોની સંખ્યા 2.4 કરોડથી વધી ગઇ છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 260 એપીવાય સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા 17 લાખથી વધુ એપીવાય ખાતા ખોલવામાં આવ્યા હતા. 20 ઓગસ્ટ 2020 સુધી અટલ પેન્શન યોજનાના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2.4 કરોડને પાર થઇ ગઇ હતી. જાણકારી અનુસાર અંશધારકોની સંખ્યા વર્ષના આધાર પર આ વર્ષે ઓક્ટોબરના અંતમાં 34.51 ટકા વધીને 2.45 કરોડ સુધી પહોંચી ગઇ છે.ચ જે 2019માં 1.82 કરોડ હતી.
અટલ પેન્શન યોજનાના ફાયદા
અટલ પેન્શન યોજના હેઠળ માત્ર જીવતા જ નહી પરંતુ મર્યા બાદ પણ પરિવારને મદદ મળતી રહે છે. જો 42 રૂપિયાથી તમે શરૂ કરો છો તો 60 વર્ષની ઉંમરમાં 1 હજાર રૂપિયા મહિને તમને મળશે. જો તમે 210 રૂપિયા કોન્ટ્રીબ્યુશન હશે તો દર મહિને 5 હજાર રૂપિયા મળશે. બસ આ યોજનામાં ઇનવેસ્ટ કરવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઇએ.
મોત બાદ પણ મળશે ફાયદો
જો 60 વર્ષ પહેલા આ યોજનાથી જોડાયેલા કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તો તેની પત્ની કે ઘરનું સદસ્ય આ યોજનામાં પૈસા ભરીને 60 વર્ષ બાદ પેન્શન મળી શકે છે. અથવા તો પતિની મોત બાદ એક સામટી રકમ પણ માંગી શકે છે.
પેન્શન નિયામક પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સાર્વજનિક ક્ષેત્રની શ્રેણી હેછળ ચાલુ વર્ષમાં એસબીઆઇએ સૌથી વધારે એપીવાય ખાતા ખોલ્યા છે. જ્યારે પ્રાઇવેટ બેન્કમાં એક્સિસ, આરબીઆઇ જેવી બેંકમાં પણ ખાતા ખોલાયા છે.