બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PMJAY યોજનામાં ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી, જૂનાગઢની 8 હોસ્પિટલોને નોટિસ ફટકારાઈ
Last Updated: 10:28 PM, 4 January 2025
જૂનાગઢમાં 8 હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે જ્યારે કેશોદની એક હોસ્પિટલને PMJAY યોજનામાંથી રદ કરાઈ છે. PMJAY યોજનામાં સમાવેશ થતી હોસ્પિટલો પર કલેકટર અનિલ રાણાવસીયાની તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલીક હોસ્પિટોની બેદરકારી જણાઈ આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

આવકાર હોસ્પિટલની બેદરકારીઓ સામે આવી
ADVERTISEMENT
જૂનાગઢની 8 હોસ્પિટલ પાસે PMJAY યોજનાને લઈ ખુલાસો મંગાવાયો છે. આવકાર હોસ્પિટલમાંથી પણ બેદરકારીઓ સામે આવી છે જ્યાં ઇન્સ્યોરન્સ એજન્સીએ પણ ચેકિંગ કર્યું હતું.
આ પણ વાંચો: 'છાતી ઠોકીને કહું છું...' ધારાસભ્ય હાર્દિક પટેલનું વિરમગામ જિલ્લા મુદ્દે મોટું નિવેદન
ADVERTISEMENT

કલેક્ટરએ શું કહ્યું ?
ADVERTISEMENT
કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું કે, ''PMJAY યોજના અંતર્ગત આવતી જિલ્લાની હોસ્પિટલોમાં દર્દીઓએ લાભ લીધો જે અંગેના ચુકવણા થયા છે તે અંગે અમે તપાસ હાથ ધરી હતી. જેમાં લગભગ 1400 જેટલા અલગ અલગ દર્દીઓ સાથે વાતચીત કરી એને જેમને ક્યાં પ્રકારની સેવાઓ મળી, ક્યા ક્યા પ્રશ્નો ફેસ કરવા પડ્યા તે બાબતે ખૂબ જ ઉડાણ પૂર્વક તપાસ કરી હતી ત્યારે કેટલાક મુદ્દાઓ ધ્યાને આવ્યા હતા. જે બાબતે આઠ જેટલી હોસ્પિટલને નોટિસ આપી છે જ્યારે કેશોદની આવકાર હોસ્પિલની કેટલીક ગેરરીતિ સામે આવી હતી''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.