બ્રેકિંગ ન્યુઝ
એક મળતા અહેવાલ મુજબ પંજાબમાં જ જીયોના અંદાજે 1,500 ટાવરને નુકસાન પહોંચાડ્યું છે. તેનું કારણ રાજ્યમાં ઘણી જગ્યાએ જીયોની સેવા બંધ થઇ ગઇ છે. મોબાઇલ ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇંડિયા (COAI) એ રાજ્ય સરકારને આ ટાવરની સુરક્ષા પ્રોવાઇડ કરવાની માગ કરી છે.
ADVERTISEMENT
કેમ કરી રહ્યું છે આંદોલનકારીઓ હુમલો
ઉલ્લેખનીય છે કે ખેડૂતોની વચ્ચે એ વાત પ્રચાર કરવામાં આવી રહી છે કે નવા ખેડૂત બિલથી મોટા ઉદ્યોગપતિઓને ખાસ કરીને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને ફાયદો થશે. એટલા માટે ખેડૂતોના ઉગ્ર થયા બાદ રિલાયંસ જિયોની મિલકતને નિશાન બનાવામાં આવી રહ્યા છે જે દેશના ગામડા-નાના વિસ્તારો સુધી પહોંચી ગયા છે.
કોણે ખરીદ્યા છે જિયોના ટાવર
અસલમાં કેનેડાની કંપની બ્રૂકફીલ્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર પાર્ટનર્સ LPએ રિલાયંસ જિયોના ટાવર કારોબારની 100 ટકા ભાગીદારી અંદાજે 25,215 કરોડ રુપિયામાં ખરીદી લીધી છે. જીયોની પાસે દેશભરમાં અંદાજે 1,35,00 ટાવર હતા, જે જિયો ઇન્ફ્રાટેલ નામની કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યાં હતા.
ADVERTISEMENT
એક ખાનગી ન્યૂઝ ચેનલના સમાચાર અનુસાર આ ડિલ ઓક્ટોબર 2020માં પુરી થઇ ગઇ છે. જો કે આ ડિલ 2019માં થઇ હતી અને તેના માટે નિયામક મંજૂરીની હજી રાહ જોવાઇ રહી હતી.
હવે શું આમ બચ્યું છે Joi નો ટાવર કારોબાર
હવે આ ટાવર કારોબારમાં જિયોનો કોઇ ભાગ નથી, પરંતુ ટાવરના વપરાશ માટે માસ્ટર સર્વિસેઝ કરાર મુજબ જિયો તેની મુખ્ય ટેનેન્ટ હશે. 30 વર્ષ સુધી જિયો તેનો ઉપયોગ કરશે અને તેના બદલે ટાવર કંપનીઓને ભાડુ ચૂકવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.