ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જન્માષ્ટમીનું વ્રત ખોલતી વખતે ભૂલથી પણ વધારે પડતું ન ખાશો, નહીં તો અપચો અને પેટની તકલીફ થઈ શકે!
7 ફોટો ગેલેરી
Last Updated: 08:28 AM, 5 September 2026
1/7
જન્માષ્ટમીના દિવસે લગભગ 15 થી 18 કલાકનો ઉપવાસ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન લોકો માત્ર 'ફલાહાર'નું જ સેવન કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ બાદ મધ્યરાત્રિએ ઉપવાસના પારણાં કરવામાં આવે છે. આ અવસરની ઉજવણી માટે ઘરમાં મીઠાઈઓ અને અન્ય વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, ઉપવાસ ખોલતી વખતે આ વાનગીઓ 'પ્રસાદ' તરીકે સેવન કરવામાં આવે છે. જોકે ઉપવાસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે શરીરને શુદ્ધ કરવા માટે અત્યંત જરૂરી વિરામ પૂરો પાડે છે. તેમ છતાં ઉપવાસના પારણાં કરતી વખતે લેવામાં આવતા આહાર બાબતે ભૂલો કરવાનું ટાળવું જોઈએ.
2/7
આખો દિવસ ભૂખ્યા રહ્યા પછી જ્યારે તમે કંઈક ખાઓ છો, ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા, તમને અપચાની સમસ્યા થઈ શકે છે. આનાથી ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, જીવ ગભરાવો અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવો જાણીએ કે જન્માષ્ટમીનું વ્રત ખોલતી વખતે કઈ આહાર-સંબંધી ભૂલો ટાળવી જોઈએ.
ADVERTISEMENT
3/7
જન્માષ્ટમી નિમિત્તે મોટાભાગના ઘરોમાં ઘીથી ભરપૂર મીઠાઈઓથી લઈને પૂરી, કચોરી, ભટુરે અને છોલે જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. આ વાનગીઓ સામાન્ય રીતે ભારે હોય છે. તેથી, તળેલી વસ્તુઓ તરત જ ખાવાનું ટાળો. સૌપ્રથમ, થોડાક 'પ્રસાદ' સાથે તમારો ઉપવાસ ખોલો. થોડીવાર રાહ જુઓ, દહીં જેવો હળવો ખોરાક લો અને પછી મુખ્ય ભોજન શરૂ કરો. જોકે, પૂરી વધુ પડતી ન ખાવાનું ધ્યાન રાખો અને ઓછી તીખી શાકભાજીની વાનગીઓ પસંદ કરો. પેટ 80 ટકા ભરાય ત્યાં સુધી જ ખાવાનો પ્રયાસ કરો અને વધુ પડતું ખાવાનું ટાળો.
4/7
જન્માષ્ટમીના દિવસે ભગવાનને ખાંડ અને સૂકા મેવાની કતલીથી લઈને માખણ-મિશ્રી, પંજરી, પંચામૃત, મેવા પાક, પેંડા, ખીર અને કલાકંદ જેવી વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે. લોકો ઘણીવાર વ્રત ખોલ્યા પછી આ મીઠાઈઓનું સેવન કરે છે, જેનાથી બ્લડ સુગરનું સ્તર વધી શકે છે અને પેટમાં ભારેપણું અનુભવાઈ શકે છે. તેથી, મીઠાઈઓનું મર્યાદિત માત્રામાં સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
5/7
કેટલાક લોકોને ભોજન કર્યા પછી ચા કે કોફી પીવાની આદત હોય છે. સામાન્ય દિવસોમાં પણ આ આદત નુકસાનકારક છે, પરંતુ જો તમે આખો દિવસ ભૂખ્યા રહ્યા બાદ ભોજન કરી રહ્યા હોવ તો વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ભોજન પછી ચા કે કોફી પીવાથી એસિડિટી, પેટમાં બળતરા અને ગેસની સમસ્યા થઈ શકે છે.
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ