રાજ્યમાં પરિસ્થિતિ તણાપૂર્વ હોવાના કારણે જેકીસીએની ગતિવિધિઓ પ્રભાવિત થઇ. એના કારણે ટીમ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લઇ શકી નહતી. જ્યારે આજરોજ કલમ 370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરાના પ્રવાસે છે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ કેટલાક પ્રતિબંધો લગાવી દેવાયા હતા. જેને લઇ જમ્મૂ-કશ્મીરમાં ચાલતો મેન્ટર ઈરફાન પઠાણનો ક્રિકેટ કેમ્પ બંધ થઇ ગયો હતો અને ઈરફાન પઠાણ સહિત વડોદરાના કોચ પરત ફર્યાં હતાં. ત્યારે ક્રિકેટને અસર ન પડે તે માટે હવે જમ્મુ-કાશ્મીરની ટીમ ૧૦ દિવસ માટે વડોદરામાં પ્રેક્ટિસ કરવા આવી છે.
જમ્મૂ-કાશ્મીરની ટીમના મેન્ટર ઈરફાન પઠાણ તમામ ક્રિકેટર્સને મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોચિંગ આપી રહ્યાં છે. 24 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી વિજય હજારે ટ્રૉફી માટે ટીમે પોતાની તૈયારીઓ વધારી દીધી છે. મુખ્ય પ્રતિયોગિતાથી પહેલા ટીમ વડોદરામાં થનારા સિલેક્શન ટ્રાયલ, કેમ્પમાં ભાગ લેશે. એમાં 26 સભ્યો સામેલ થશે જેમાંથી મુખ્ય સ્પર્ધા માટે અંતિમ 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
આ ટ્રેનિંગ કેમ્પમાં ટીમના મેન્ટર ઇરફાન પઠાણ પણ સામેલ થશે. કાશ્મીરના ખેલાડીઓથી સંપર્ક નહીં થવાના કારણે એસોસિએશનની ગતિવિધિઓને અસર થઇ રહી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પરિસ્થિતિ તણાપૂર્વ હોવાના કારણે જેકીસીએની ગતિવિધિઓ પ્રભાવિત થઇ. એના કારણે ટીમ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લઇ શકી નહતી. જો કે હવે વિજય હજારે ટ્રોફીમાં ટીમની પહેલી સ્પર્ધા ત્રિપુરા સાથે થશે.