બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Vishal Khamar
Last Updated: 01:53 PM, 13 March 2024
ટી20 ક્રિકેટ વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે, ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને ચર્ચા શરૂ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિરાટ કોહલી 2024ના ટી20 વર્લ્ડકપ ટીમનો હિસ્સો નહીં હોય. આ વખતનો વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. ત્યારે મીડિયા રિપોર્ટ્ સમુજબ પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે અહીંની સ્લો પીચ પર વિરાટ કોહલી રન નહીં બનાવી શકે.પરંતુ ફિલ્ડ પર વિરાટ કોહલીના કટ્ટર હરીફ રહેલા પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાને આ મામલે ટીકાકારોને ઝાટક્યા છે અને વિરાટ કોહલીનો પક્ષ લીધો છે.
મોહમ્મદ ઈરફાનનું કહેવું છે કે જે લોકો વિરાટ કોહલીની ટીકા કરી રહ્યા છે. સવાલ ઉઠાવી રહ્યા છે. તે પોતે ગલી ક્રિકેટ રમે છે. જ્યારે 2022ના ટી-20 વર્લ્ડકપ પછી કોહલીએ અફ્ઘાનિસ્તાન સામેની ટી 20 સિરીઝ રમી ત્યારે તેઓ ખાસ પ્રદર્શન નહોતા કરી શક્યા. અને ઘણા લાંબા સમયથી કોહલી ટી 20 ટીમનો હિસ્સો નથી રહ્યા. જો કે ટી 20 વર્લ્ડ કપ પહેલા જ આઈપીએલ રમાવાની છે, ત્યારે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને કોહલી પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપની ટીમની પસંદગી આઈપીએલના પહેલા તબક્કાના પ્રદર્શનને આધારે જ થવાની છે.
આ બધાની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાનનું કહેવું છે કે કોહલી વગર ભારતીય ટી20 ટીમ અધૂરી છે. એક જાણીતી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ઈરફાને કહ્યું,'વિરાટ કોહલી વગર વર્લ્ડ કપની ટીમ ન બની શકે.' આ ઉપરાંત તેમણે કોહલીની મેચ વિનિંગ કેપેબિલીટીઝને પણ વખાણી છે. ઈરફાને એમ પણ ઉમેર્યું કે 2023ના ટી 20 વર્લ્ડકપમાં વિરાટ કોહલી ટોપ સ્કોરર હતા, તે પણ ધ્યાને લેવું જોઈએ.
વધુ વાંચોઃ 'ધોની આવું કરતાં પણ..' કેપ્ટન રોહિત શર્માના આર અશ્વિને કર્યા દિલથી વખાણ, સંકટ સમયનો દાખલો આપ્યો
ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ આઈપીએલ શરૂ થવાની છે અને વિરાટ કોહલી લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે, ત્યારે કોહલીને લઈને સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝમાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. કોહલીએ વર્લ્ડ કપ રમવો જોઈએ કે યુવા ખેલાડીઓ માટે જગ્યા કરવી જોઈએ તે અંગે મતમતાંતર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ