બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Tech & Auto / સુરતના સમાચાર / Indias first Chinese technology air purifier built in surat
ADVERTISEMENT
રાજ્યનું આર્થિક પાટનગર ગણાતાં સુરત શહેરની હવામાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ઉદ્યોગો અને બાંધકામ હવાના પ્રદૂષણ માટે જવાબદાર મુખ્ય પરીબળો છે. 50 લાખથી વધુની વસ્તી ધરાવતાં સુરત શહેર માટે હવે પછીની સમસ્યા લોકોને શુધ્ધ હવા મળી રહે તે માટેની છે. શિયાળામાં દિલ્હીમાં જોવા મળતી હવાના પ્રદૂષણની સ્થિતીથી જાગેલી સુરત મહાનગર પાલિકાએ સુરતની હવાના પ્રદૂષણના સ્તરને ઘટાડવા કામગીરી આરંભી દિધી છે, ત્યારે હવાને શુધ્ધ કરવા માટે પાલિકાની નજર ચાઈનીઝ ટેક્નોલોજી પર પડી છે.

ADVERTISEMENT
હવાને શુધ્ધ કરવાની શું છે ચાઈનીઝ ટેક્નોલોજી?
પ્રદૂષણને કારણે ગંભીર સ્થિતીનો સામનો કરી ચૂકેલા ચીનના ઝીયાન શહેરમાં હવાને શુધ્ધ કરવા માટે દુનિયા સૌથી ઉંચો એર પ્યૂરીફાયર ટાવર બનાવવામાં આવ્યો છે. 2017માં વર્ષના માત્ર 153 દિવસ જ ઝિયાન શહેરના રહેવાસીઓને આકાશનો ભૂરો રંગ જોવા મળ્યો હતો. વર્ષના બાકીના દિવસોમાં પ્રદૂષિત હવાને કારણે દિવસે પણ આકાશ તરફ નજર કરો તો કાળાશ જ દેખાતી હતી. જેના ઉકેલ રૂપે ચીન દ્વારા આ શહેરમાં 100 ફૂટ ઉંચાં ચીમની જેવા આકારના એર પ્યૂરીફાયર ટાવર બનાવવામાં આવ્યો હતો. આ ટાવર સોલાર પાવરની મદદથી કામ કરે છે અને પ્રદૂષિત હવાને શુધ્ધ બનાવી ફરીથી વાતાવરણમાં છોડે છે. આઈઆઈટી દિલ્હી અને સુરતની એસવીએનઆઈટી દ્વારા આ ટેક્નોલોજીનો સુરતમાં ઉપયોગ કરીને હવે સુરતઓને પ્રદૂષિત હવામાંથી મુક્તી આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

કેવું હશે સુરતનું એર પ્યૂરીફાયર ટાવર?
ADVERTISEMENT
ચીનના ઝીયાન શહેરમાં ઉભું કરવામાં આવેલું એર પ્યૂરીફાયર ટાવર 100 મીટરની ઉંચાઈ ધરાવે છે. પરંતુ સુરત માટે 24 મિટરના એર પ્યૂરીફાયર ટાવરનું આયોજન વિચારાધીન છે. તેની પહોળાઈ 10 મીટરની હશે અને 500 ચોરસ મીટર જગ્યામાં તે આકાર પામશે. ટાવરમાં નિચેના ભાગમાં લગાડવામાં આવેલા પંખા પ્રદૂષિત હવાને પોતાની અંદર ખેંચશે અને વિવિધ ફિલ્ટર્સ માંથી તેને પસાર કરી ટાવરના ઉપરના ભાગમાંથી શુધ્ધ હવા વાતાવરણમાં છેડવામાં આવશે. એક અંદાજ મુજબ આ ટાવર દરરોજ 30 હજાર ક્યૂબિક મીટર હવા શુધ્ધ કરશે. જેનો લાભ 1 લાખ લોકોને મળશે.

ADVERTISEMENT
સુરતમાં ક્યારે બનશે એર પ્યૂરીફાયર ટાવર?
ચીનના ઝીયાન શહેરમાં ઉભા કરવામાં આવેલા વિશ્ર્વના સૌથી પહેલાં એર પ્યૂરીફાયર ટાવરની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવનાર મિનેસોટા યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ પુઈને સુરતની મુલાકાત માટે આમંત્રીત કરવામાં આવ્યાં છે. તેમના તારણોને આધારે આઈઆઈટી દિલ્હી અને સુરતની એસવીએનઆઈટી દ્વારા સુરતમાં 24 મીટરની ઉંચાઈના દેશના સૌથી પહેલાં એર પ્યૂરીફાયર ટાવરનું નિર્માણ શરુ કરવામાં આવશે. સોલર પાવરની મદદથી જ ચાલનારા સુરતના ટાવરના નિર્માણ પાછળ હાલ 8 થી 12 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.