બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Indian star cricketer had a simple court-marriage wrote an emotional post for his mother
Last Updated: 05:11 PM, 14 January 2023
ADVERTISEMENT
ભારતની મહિલા ક્રિકેટ ટીમની શાનદાર બેટ્સમેન વેદા કૃષ્ણમૂર્તિ લગ્નના તાંતણે બંધાઈ છે. તેણીએ કર્ણાટકના ક્રિકેટર અર્જુન હોયસાલા સાથે લગ્ન કર્યાં છે પરંતુ સાત ફેરા ફર્યા નથી. કારણ કે તેમણે બેંગ્લોર ખાતે કોર્ટ મેરેજ કર્યા છે. વેદાએ સાદગીથી કોર્ટ મેરેજ કરી જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી છે. તેમણે લગ્ન માટે ખાસ દિવસ પસંદ કર્યો છે. શાનદાર બેટ્સમેને મહત્વનો નિર્ણય લઈ માતા ચેલુવંબા દેવીના જન્મદિવસ પર લગ્ન કર્યા છે. મહત્વનું છે કે વેદની માતાનું 2021માં 66 વર્ષની વયે કોરોનાને પગલે મોત નીપજ્યું હતું. ત્યારે માતાના 67માં જન્મદિવસ નિમિત્તે વેદાએ લગ્ન કરી તેના ઇન્સ્ટાગ્રામ લગ્નની માહિતી આપી હતી. સાથે જ એક ભાવુક સંદેશ પણ આપ્યો હતો.
ADVERTISEMENT
કોરોનાને પગલે થયુ હતું બહેન અને માતાનું મોત
ADVERTISEMENT
જેમાં તેમણે લખ્યું કે શ્રી અને શ્રીમતી આ તમારા માટે છે મમ્મી. તમારો જન્મદિવસ હંમેશા ખાસ અને યાદ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વેદા કૃષ્ણમૂર્તિના માતાના મૃત્યુના બે અઠવાડિયા પછી જ કોરોના મહામારીએ તેમની 42 વર્ષની બહેન વત્સલા શિવકુમારનો પણ ભોગ લીધો હતો. જેમાં તેમને પોતાની મૃતક બહેનને યાદ કરીને " લવ યુ અક્કા (બહેન). લખ્યું હતું.
ADVERTISEMENT
બેંગલુરુ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં સાદગીથી કર્યા લગ્ન
ADVERTISEMENT
વધુમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલા લગ્નના ફોટામાં તેના પતિ અર્જુન વિષે પણ લખ્યું હતું કે 'કોંગ્રેશ્યુલેશન મેરી જાન'.વધુમાં મારું જીવન હવે તારું છે. મહત્વનું છે કે વેદા અને અર્જુને બેંગલુરુમાં સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં સાદગીથી લગ્નની વિધિઓ પૂર્ણ કરઇ હતી. તેઓએ દસ્તાવેજો પર સહી કર્યા બાદ સોશિયલ મીડિયામાં જાણ કરી છે. બન્ને એ પરિવારના થોડા સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. વેદાએ તેની કારકિર્દીમાં ભારતીય મહિલા ટીમ માટે અત્યાર સુધીમાં 48 વન ડે અને 76 T20 રમી છે. આ ઉપરાંત 2017માં વન ડે વર્લ્ડ કપ અને 2020માં T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બની હતી જ્યારે તેના પતિ અર્જુન હોયસલા ડાબા હાથે બેટિંગ કરે છે અને રણજી ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.