બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:54 AM, 9 August 2025
તહેવારો દરમ્યાન મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે રેલવેએ 'રાઉન્ડ ટ્રીપ પેકેજ' યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, જે મુસાફરો નિર્ધારિત સમય મર્યાદામાં તેમની પરત યાત્રા બુક કરાવશે તેમને પરત ટિકિટના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ મળશે.
ADVERTISEMENT
આ યોજના ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થશે. આ અંતર્ગત જવાની મુસાફરી માટે ટિકિટ ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ ની વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહેશે. આવવાની ટિકીટ એટલે કે રિટર્ન ટિકીટ ૧૭ નવેમ્બર ૨૦૨૫ થી ૧ ડિસેમ્બર ૨૦૨૫ ની વચ્ચેની તારીખ માટે કનેક્ટિંગ જર્ની ફિયર દ્વારા બુક કરાવવાની રહેશે.
આ યોજનામાં ડિસ્કાઉન્ટ ફક્ત ત્યારે જ મળશે જો બંને બાજુની ટિકિટ કન્ફર્મ હોય અને તે જ મુસાફરોના નામે હોય. રિટર્ન ટિકિટ બુક કરાવવા માટે એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ થશે નહીં. રિટર્ન મુસાફરીના મૂળ ભાડા પર જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાડાની આવક લઈ રહેલા લોકો માટે મોટા સમાચાર, સરકાર કરી રહી છે આ કામ, સાવધાન!
રેલવેએ જણાવ્યું હતું કે આ યોજના હાલમાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી છે, જેથી તહેવારો દરમિયાન બંને બાજુ ટ્રેનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.