ભારત વિશ્વ કપ 2019માં પોતાનાં અભિયાનની શરૂઆત 2 જૂનની જગ્યાએ 5 જૂનનાં રોજ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રહેશે કેમ કે બીસીસીઆઇને લોઢા સમિતિની ભલામણને અનુરૂપ આઇપીએલ અને આંતરરાષ્ટ્રીય મેચની વચ્ચે 15 દિવસનું અનિવાર્ય અંતર રાખવું પડશે.
વિશ્વ કપ આવતા વર્ષે 30 મેંથી 14 જુલાઇની વચ્ચે યૂનાઇટેડ કિંગ્ડમ (યૂકે)માં રમવામાં આવશે. આ મુદ્દે આજે કોલકાતામાં આઇસીસી મુખ્ય કાર્યકારિઓની બેઠકમાં ચર્ચા થઇ.
બીસીસીઆઇનાં એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરતે જણાવ્યું કે "આવતા વર્ષે આઇપીએલ 29 માર્ચથી 19મેંની વચ્ચે રમવામાં આવશે પરંતુ અમારે 15 દિવસનું અંતર રાખવું પડશે અને વિશ્વ કપ 30 મેંથી શરૂ થશે એટલાં માટે 15 દિવસનું અંતર રાખવા માટે અમે 5 જૂનનાં રોજ જ પ્રથમ મેચ રમી શકીએ છીએ. આ પહેલાં અમારે 2જી જૂનનાં રોજ પ્રથમ મેચ રમવાની હતી પરંતુ અમે તે દિવસે નથી રમી શકતાં."
એમાંય રસસ્પ્રદ વાત એ છે કે આ પહેલાં આઇસીસીનાં શીર્ષ ટૂર્નામેન્ટોની શરૂઆત ભારત-પાકિસ્તાનનાં મુકાબલેથી થતી હતી કેમ કે આમાં સ્ટેડીયમ ખીચોખીચ ભરેલું હોય છે. વિશ્વ કપ 2015માં ઓસ્ટ્રેલિયા (એડિલેડ) અને ચેમ્પિયન્સ ટ્રોફી 2017 (બર્મિઘમ)માં પણ આવું થયું હતું.
અધિકારીએ જણાવ્યું કે "આ પ્રથમ એવો અવસર છે. જો કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે શરૂઆતમાં મુકાબલા નહીં થાય. આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન (વિશ્વ કપ 1992ની જેમ જેમાં દરેક ટીમ એક-બીજાંની વિરૂદ્ધ રમશે) આધાર પર થશે."
જો અન્ય નિર્ણય કરવામાં આવ્યાં તેમાં 2019-23નાં પાંચ વર્ષ માટે ભવિષ્યનો પ્રવાસી કાર્યક્રમ પણ શામેલ છે. અધિકારીએ કહ્યું કે "જેવો અમે નિર્ણય કર્યો છે. ભારત આ દરમ્યાન દરેક પ્રારૂપોમાં વધારેમાં વધારે 309 દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાશે. આ છેલ્લાં પાંચ વર્ષથી ચક્રથી 92 દિવસ ઓછાં છે."