બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Pravin
Last Updated: 04:39 PM, 26 April 2022
23 એપ્રિલના રોજ એક સાથે સૌથી વધારે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ ઐતિહાસિક દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે, 23 એપ્રિલે ભારતે બિહારના ભોજપુરમાં વીર કુંવર સિંહ વિજયોત્સવ કાર્યક્રમમાં એક સાથે 78,220 ઝંડા લહેરાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે. આ પ્રયાસને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રતિનિધિઓએ જોયો અને સહભાગીઓને શારીરિક ઓળખાણ માટે બેંડ પહેરવા માટે કહેવામાં આવ્યું હતું.
India creates World Record.
— Amit Shah (@AmitShah) April 24, 2022
78,200 Indians waved National Flag together while celebrating Babu Veer Kunwar Singh Ji’s Vijayutsav yesterday in Jagdishpur, Bihar under PM @narendramodi’s visionary #AzadiKaAmritMahotsav. @MinOfCultureGoI @PIBHomeAffairs pic.twitter.com/8MdKS4YdrD
23 એપ્રિલે બિહારમાં સ્થપાયો રેકોર્ડ
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા માટે ગૃહમંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયે 23 એપ્રિલ 2022ના રોજ બિહારના ભોજપુરમાં જગદીશપુરમાં સૌથી વધારે લોકો દ્વારા ઝંડા લહેરાવાનો રેકોર્ડ બનાવામાં આવ્યો. બિહારના ભોજપુર જિલ્લાના દલૌર મેદાનમાં શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં 78,220 લોકોએ એક સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને એક નવો કીર્તિમાન સ્થાપિત કરીને ઈતિહાસ રચ્યો હતો.
પાકિસ્તાનનો રેકોર્ડ તોડી નાખ્યો
આ અગાઉ પાકિસ્તાનમાં લગભગ 18 વર્ષ પેહલા એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં 56,000 પાકિસ્તાનીઓએ લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, મહાન સ્વતંત્ર સેનાની બાબૂ વીર કુંવર સિંહની જયંતિ પર જગદીશપુરમાં પાંચ મિનીટ સુધી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવામાં આવ્યો હતો અને આઝાદીનો અમૃત મહોત્સવ મનાવામાં આવ્યો હતો. 23 એપ્રિલે જગદીશપુરમાં આયોજીત વિજયોત્સવ કાર્યક્રમમાં લોકોએ ઝંડો લહેરાવ્યો હતો.
આપને જણાવી દઈએ કે, વીર કુંવર સિંહે 23 એપ્રિલ 1858ના જગદીશપુરની પાસે અંતિમ લડાઈ લડી હતી અને આ લડાઈમાં ઈસ્ટ ઈંડિયા કંપનીને હરાવી દીધી હતી. જગદીશપુર કિલ્લાથી યુનિયન જૈકનો ઝંડો ઉતાર્યા બાદ રાષ્ટ્રની સેવામાં કુંવર સિંહ શહીદ થઈ ગયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime