બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:11 PM, 8 June 2026
મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ ગંભીર બનતા, ઈરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ સલાહ જાહેર કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીયોએ ઈરાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. સુરક્ષાના કારણોસર હાલ ઈરાન જવું યોગ્ય નથી. આ ઉપરાંત ઈરાનમાં હાલમાં રહેતા ભારતીય નાગરિકોને પણ શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે જે ભારતીયો ઈરાનમાં છે તેઓ ઉપલબ્ધ તમામ માર્ગો અને સાધનોનો ઉપયોગ કરીને સુરક્ષિત સ્થળે પહોંચી જાય અને ઈરાનમાંથી બહાર નીકળી જાય.
ADVERTISEMENT
માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે ઈરાને ઈઝરાયલ પર હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયલે પણ ઈરાનના અનેક શહેરો પર હુમલા કર્યા. ઈઝરાયલે તેહરાન, ઇસ્ફહાન, તબ્રિઝ સહિતના વિસ્તારોને નિશાન બનાવી મિસાઇલ અને અન્ય સૈન્ય હુમલાઓ કર્યા.
ADVERTISEMENT
— India in Iran (@India_in_Iran) June 8, 2026
અહેવાલો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સાવધાની રાખવાની સલાહ આપી હતી, છતાં ઈઝરાયલે જવાબી કાર્યવાહી હાથ ધરી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમેરિકામાં H-1B વિઝા નિયમોમાં થઈ શકે છે અનેક ફેરફાર, જાણો ભારતીયોને શું અસર થશે?
ADVERTISEMENT
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હાલના યુદ્ધવિરામના ભંગ માટે અમેરિકા પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે ઈઝરાયલની કાર્યવાહી અને અમેરિકાની નીતિઓને અલગ કરીને જોઈ શકાય નહીં. બઘાઈના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ જે પગલાં ભરી રહ્યું છે તેમાં અમેરિકાની નીતિઓનો પણ પ્રભાવ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.