બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AFG Hardik and Surya injured, if not recovered, who will captain the team in T20
Megha
Last Updated: 08:27 AM, 7 January 2024
સાઉથ આફ્રિકા સામે ટી20, વનડે અને ટેસ્ટ સીરિઝ રમીને ટીમ ઈન્ડિયા હાલ ભારત પાછી ફરી છે. હવે ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સીરિઝ રમશે અને એ બાદ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ટી20 સીરિઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે તો ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 25 જાન્યુઆરીથી રમવામાં આવશે.
🗣️🗣️ We can take a lot of pride from this series.#TeamIndia Captain Rohit Sharma talks about the importance of bouncing back hard and winning their first ever Test in Cape Town 👌👌#SAvIND | @ImRo45 pic.twitter.com/JFB5wr27xs
— BCCI (@BCCI) January 4, 2024
અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે?
હવે દરેક ક્રિકેટ ફેન્સના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે? કારણ કે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત છે. તેથી તે બંને અફઘાનિસ્તાન સામે રમે તેવી શક્યતા ઓછી છે. આ બંને ખેલાડીઓની ગેરહાજરીએ ટીમ સિલેક્ટર્સ માટે મૂંઝવણ ઊભી કરી છે.
આગામી પાંચ મહિના ખૂબ જ મહત્વપૂર્ણ
સિલેક્ટર્સ માટે આગામી પાંચ મહિના ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. આવી સ્થિતિમાં હવે અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની ટી20 કમાન કોને સોંપે એ નિર્ણય ખૂબ મહત્વનો છે. સિલેક્ટર્સ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ યુવા ખેલાડી ભારત પર દાવ લગાવે છે કે ફરી ટીમ ઈન્ડિયાના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપે છે.
Any changes you would like to see in the Squad? 🤔#INDvsAFG #IndianCricketTeam #T20Is #BCCI #RohitSharma #CricketTwitter pic.twitter.com/XJnSUtNBFY
— InsideSport (@InsideSportIND) January 5, 2024
શું રોહિત શર્મા બનશે ટી20 સિરીઝના કેપ્ટન?
મળતી માહિતી મુજબ, આ નિર્ણય પસંદગીકારો માટે ખૂબ જ પડકારજનક સાબિત થવાનો છે, કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી પહેલા જ બોર્ડને કહી ચૂક્યા છે કે તેઓ T20 સીરિઝમાં હાજર રહેશે નહીં. બંને દિગ્ગજ બેટ્સમેનોએ 2022માં વર્લ્ડ કપ પછી એક પણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જો રોહિત અફઘાનિસ્તાન સામે વાપસી કરશે તો ટીમ ઈન્ડિયા ચોક્કસપણે તેની કેપ્ટનશીપમાં રમશે પરંતુ રોહિતના પુનરાગમનની શક્યતાઓ નહિવત છે.
વધુ વાંચો: અટકળોનો અંત...! આ સ્ટાર ખેલાડી કરશે T20 વર્લ્ડકપમાં ભારતની કેપ્ટનશીપ, લાંબા સમય બાદ કરશે કમબેક
જો રોહિત શર્મા ટી20માં પાછા નહીં ફરે તો શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ ઐયરના નામ પર વિચાર કરવામાં આવી શકે છે. છેલ્લા T20 વર્લ્ડ કપ બાદથી હાર્દિક પંડ્યાએ મોટાભાગની મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. T20 વર્લ્ડ કપ 2022 થી ભારતીય ટીમે કુલ 26 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન સિલેક્ટર્સ 3 વખત કેપ્ટન બદલ્યા.
T20 વર્લ્ડ કપ બાદ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ પ્રવાસ પર કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ત્યારપછી એશિયન ગેમ્સમાં ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન હતા, જ્યારે સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે કમાન સોંપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime