બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot માં ડાંગર કોલેજમાં પૈસા આપો તો જ પાસ થવાય, ગરીબ વિદ્યાર્થીએ આપઘાત કરવો પડ્યો
Last Updated: 11:44 PM, 26 August 2025
Rajkot News : રાજકોટમાં બી એ ડાંગર કોલેજના વિદ્યાર્થીનો આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. કોલેજ સંચાલકના ત્રાસથી વિદ્યાર્થીએ ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હતો. સંચાલકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. કોલેજમાં અભ્યાસ કરતા હોમિયોપેથીક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. ધર્મેશભાઈ ધીરુભાઈ કળસરીયા નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થી સંગઠનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.
ADVERTISEMENT
આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક
જો કે આપઘાત કેસમાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. વિદ્યાર્થીના વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ કોલેજમાં પૈસા આપો તો જ પાસ કરવામાં આવતા હતા. જો પૈસા ન આપો તો વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા હતા. પ્રિન્સિપાલ પોતે જ વિદ્યાર્થીઓ પાસે પૈસાના ઉઘરાણા કરતા હતા. જે વિદ્યાર્થીઓ પૈસા આપે તેમને ચોરી કરવા માટેની ઉઘાડી છુટ આપવામાં આવતી હતી. જો પૈસા ન આપે તે ગમે તેમ કરે તેને પાસ કરાવામાં આવતા નહોતા.
ADVERTISEMENT
રાહત / ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહીવત્ત, હવામાન વિભાગે અધિકારીક રીતે કરી જાહેરાત
બી.એ ડાંગર કોલેજ વારંવાર વિવાદમાં આવે છે
ADVERTISEMENT
રાજકોટમાં બી એ ડાંગર કોલેજના વિદ્યાર્થીનો આપઘાત કરતા ફરી એકવાર ચર્ચામાં આવી ચુકી છે. કોલેજ સંચાલકના ત્રાસથી વિદ્યાર્થીએ ઇન્જેક્શન લઈને કર્યો આપઘાત કર્યો હતો. સંચાલક અને પ્રિન્સિપાલનો ત્રાસ એટલો હતો કે વિદ્યાર્થીઓ મિત્રો પાસેથી પૈસા ઉછીના લઇને આપવા છતા સંચાલકોની પૈસાની ભુખ સંતોષાઇ નહોતી. જેના કારણે વારંવાર માંગણી કરતા રહેતા આખરે કંટાળીને વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો તેવો આક્ષેપ પરિવારે કર્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા હોમિયોપેથીક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ધર્મેશભાઈ ધીરુભાઈ કળસરીયા નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે.
પિતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ
ADVERTISEMENT
વિદ્યાર્થીના આપઘાતને લઈને તેના પિતા અને ભાઈનો આક્ષેપ કર્યો કે, બી એ ડાંગર કોલેજમાં જે અભ્યાસ કરતો હતો. જ્યાં તેને બીજા સેમેસ્ટરમાં વારંવાર ફેલ કરવામાં આવતો હતો.કોલેજ સંચાલક દ્વારા વિદ્યાર્થી પાસે પાસ થવા માટે નાણાની માંગણી કરી હતી. વિદ્યાર્થીએ પૈસા આપ્યા હોવા છતાં તેને પરીક્ષામાંથી ચાલુ પેપર એ ઊભો કરી દીધો હતો. જેના કારણે તેને પોતાના મિત્રના રૂમમાં આપઘાત કરી લીધો છે. જોકે આ મામલે NSUI અને ABVP સંગઠનના નેતાઓ પણ પહોંચ્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ પણ પરિવારને ન્યાય મળે તે માટેની માંગ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.