બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / importance of flag code of india

સ્વતંત્રતા પર્વ / શું આપણે દેશભક્તિનાં ખોટા ઉત્સાહમાં ક્યાંક રાષ્ટ્રધ્વજનું સન્માન ભુલતા નથી ને?

Published By: Mehul

Last Updated: 06:57 PM, 14 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં આવતીકાલની સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અને દેશભક્તિ, દેશરક્ષા તથા સન્માનએ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. પરંતુ ભારત દેશમાં દરેક વસ્તુ સમયની સાથે સમાપ્ત થઈ જતી હોય તેમ લાગે છે.

15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે જ દેશભક્તિ દેખાયા બાદ સાંજે જ કાગળના અને પ્લાસ્ટિકના ધ્વજ રસ્તે રઝળતા જોવા મળે છે. બીજી બાજુ વિક્રમ સર્જવાનો ઉત્સાહ હોય કે પછી સૌથી ઊંચો ત્રિરંગો લહેરાવવા માટેની હોડ લાગી હોય ત્યારે એકબીજાથી ચઢિયાતું આયોજન કરવા સરકારે બનાવેલા નિયમોનો છડેચોક ભંગ થતો હોય છે. ભારત સરકારે ચોક્કસ નીતિ નિયમો બનાવ્યા છે કે ક્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવો, કેવી રીતે ફરકાવવો, સલામી કેવી રીતે આપવી ચોક્કસ નીતિ નિયમો છે.

ભારત સરકારે ત્રિરંગો કેવી રીતે ફરકાવવો તેના માટે ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં માનભર્યા સ્થાને અને સ્પષ્ટપણે દેખાઈ આવે તે રીતે હોવો જોઈએ. જાહેર મકાનો પર રવિવાર અને રજાના દિવસો સહિત બધા જ દિવસે ફરકાવી શકાય, રાષ્ટ્રધ્વજ ઊભો ફરકાવવાનો હોય ત્યારે રહેનારની એ ડાબી બાજુએ રાખવો, જો મંચ ઉપર રાખવાનો હોય તો વકતાની જમણી તરફ રાખવો, ત્રિરંગો મોટર પર ફરકાવવાનો હોય ત્યારે આગળના ભાગે સજ્જડ બેસાડેલા સળિયા ઉપર ફરકાવવો. 

આ રીતે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ અયોગ્ય કોઈ પણ ગૂંચળાની ઉપર ત્રિરંગો ફરકાવી શકાશે નહીં કોઈ પણ પોશાક કે ગણવેશ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ શકે નહીં, રાષ્ટ્રધ્વજ ઉપર કોઈ પ્રકારના શબ્દો ચિતરી ન શકાય, ત્રિરંગા ઉપર કોઈ પણ જાતના શબ્દો લખી શકાય નહીં, કોઈ પણ પ્રકારની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ શકે નહીં. ત્રિરંગો ફરકાવવાના પોલ ઉપર જાહેરાત નહીં થાય. 

આ ઉપરાંત કોઈ પણ પ્રકારની વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ સાધન તરીકે થઈ શકે નહીં, રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે તે રીતે સંગ્રહ ન થઈ શકે. નુકસાન પહોંચ્યું હોય તો તેને ગમે ત્યાં નાંખી ન શકાય, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાય નહીં.

બીજા કોઈ ધ્વજ કે પતાકાને રાષ્ટ્રધ્વજથી ઊંચા સ્થાને રાખી શકાય નહીં, રાષ્ટ્રધ્વજને ભોંય કે જમીન પર અટકાવી શકાશે નહીં. અથવા પાણી ઝબોળતો રાખી શકાશે નહીં, રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે તે રીતે ફરકાવી શકાશે નહીં.
 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Flag Code of India Independence Day Indian Flag National News Political News 15 August 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ