બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ભારત / If Sardar Patel was not there, Pakistan tookover Lakshadweep: Know how Jinnah's plan failed
Megha
Last Updated: 09:41 AM, 10 January 2024
હાલ સોશિયલ મીડિયા પર બૉયકોટ માલદીવની સાથે સાથે એક્સલપોર ઈન્ડિયન આઇલેન્ડ પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લક્ષદ્વીપ આ સમયે ચર્ચાનો વિષય બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને પર્યટનને પ્રોત્સાહન આપવાની વાત કરી, જેનાથી માલદીવના ઘણા નેતાઓ નારાજ થયા અને પીએમ મોદી પર ટિપ્પણી કરી. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે, પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાન એક સમયે લક્ષદ્વીપને કબજે કરવા દોડી આવ્યું હતું પરંતુ આપણાં સરદાર પટેલને કારણે આજે આ ટાપુ ભારતનો ભાગ છે.
આપણે બધાએ જ બાળપણથી જ લક્ષદ્વીપ વિશે સાંભળ્યું હશે કે લક્ષદ્વીપ એક નાનો ટાપુ છે પરંતુ તેની વાર્તા ઘણી લાંબી છે. એ તો જાણીતું જ છે કે અંગ્રેજોએ જ્યારે ભારતને આઝાદ કર્યું ત્યારે તેણે તેના બે ટુકડા કરી નાખ્યા હતા. એક પાકિસ્તાન અને બીજું ભારત. પાકિસ્તાનના સ્થાપક, મોહમ્મદ અલી ઝીણા, પાકિસ્તાનમાં મુસ્લિમ બહુમતી ધરાવતા તમામ મુસ્લિમ રજવાડાઓને સામેલ કરવા માંગતા હતા. જો કે એ ભાગલા સમયે તે લક્ષદ્વીપ કોનો ભાગ હશે તે નિશ્ચિત ન હતું. ઝીણાએ તેને હડપી લેવાની યોજના બનાવી રહ્યા હતા.
ઝીણા હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીરને પાકિસ્તાનમાં જોડવા માંગતા હતા પરંતુ લોખંડી પુરૂષ પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના કુશળ નેતૃત્વએ આવું થવા દીધું ન હતું. દરમિયાન, એક અન્ય મુસ્લિમ બહુમતી વિસ્તાર હતો, જે કોચીથી 496 કિલોમીટર દૂર સ્થિત હતો, જે ભાગલાથી અસ્પૃશ્ય રહ્યો હતો. તે લક્ષદ્વીપ હતું, જ્યાં 93% વસ્તી મુસ્લિમ હતી. વિભાજન પછી પાકિસ્તાન આ સુંદર ટાપુ સમૂહને કબજે કરવા માંગતું હતું. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય બે તમિલ નેતાઓની તત્પરતાને કારણે, લક્ષદ્વીપ ભારતનો એક ભાગ જ રહ્યું.
પાકિસ્તાને લક્ષદ્વીપ પર કબજો કરવા માટે એક જહાજ પણ મોકલ્યું હતું. પરંતુ સરદાર પટેલને આ માહિતી મળતાં જ તેમણે દક્ષિણના રજવાડાના મુદલિયાર ભાઈઓ સાથે મળીને પાકિસ્તાનની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી. ત્રાવણકોર રાજ્યના લોકો દક્ષિણના રાજ્યના મુદલિયાર ભાઈઓ સાથે લક્ષદ્વીપ ગયા અને ભારતનો ધ્વજ ફરકાવ્યો હતોજ્યારે પાકિસ્તાની જહાજ લક્ષદ્વીપ પહોંચ્યું ત્યારે જોવા મળ્યું કે લક્ષદ્વીપ પર પહેલેથી જ ત્રિરંગો લહેરાતો હતો.
વધુ વાંચો: લક્ષદ્વીપમાં બનશે નવું એરપોર્ટ, લડાકૂ વિમાન તૈનાથ થશે, મોદી સરકારે તૈયાર કર્યો ખાસ પ્લાન
રામાસ્વામી અને લક્ષ્મણસ્વામી મુદલિયાર પાકિસ્તાની જહાજ આવે તે પહેલા જ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો હતો. પાકિસ્તાની જહાજે તિરંગો જોયો કે તરત જ તેણે તેની દિશા બદલી અને પાકિસ્તાન પરત ફર્યું. એટલે કે જો તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ત્વરિત પગલાં ન લીધાં હોત તો આજે લક્ષદ્વીપ ભારતનો ભાગ ન હોત.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog