સૂરજનાં તેજ કિરણોના સંપર્કમાં આવતાં આપણી ત્વચામાં ઘણા પ્રકારના પ્રભાવ પડે છે. આપણી ત્વચા લાલ અને કાળી થાય છે તેમજ ડ્રાય પણ થઇ જાય છે. સૂર્યનાં કિરણોની ઝપટમાં આવવાથી ત્વચાનું કેન્સર થવાનો ખતરો રહે છે. વિજ્ઞાનીએ હવે તે પ્રક્રિયા અંગે જણાવ્યું છે કે કેવી રીતે સૂર્ય દ્વારા ઉત્સર્જિત અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે.
પ્રત્યેક પ્રકારનાં અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી ત્વચાને થાય છે કેન્સરઃ પૂર્વે સંશોધન
જેટલું વધારે ઊર્જાનાં વિકિરણો ત્વચાને અવશોષિત કરે તેટલું વધુ નુકસાનઃ વર્તમાન સંશોધન
આ અભ્યાસ મિકેનિકલ બિહેવિયર ઓફ બાયોમટિરિયલ મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. બિંગહેમ્પ્ટન યુનિવર્સિટીમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહેલા જેચરી ડબ્લ્યુ લિપસ્કીએ નવા અભ્યાસમાં જણાવ્યું કે સૂર્ય કેવી રીતે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને આપણી ત્વચા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો (ultraviolet radiation) શા માટે સૌથી ખરાબ છે? આસિ. પ્રોફેસર કે.જર્મનના નેતૃત્વમાં આ અભ્યાસને અંજામ અપાયો હતો. અલ્ટ્રાવાયોલેટ કિરણોને માનવ આંખ જોઇ શકતી નથી. તેને ફોટાનની ઊર્જા અને તરંગ લંબાઇના આધાર પર ચાર શ્રેણીમાં વિભાજિત કરાય છે.
અગાઉના અભ્યાસોમાં જણાવાયું હતું કે પ્રત્યેક પ્રકારના અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી ત્વચાને કેન્સર થાય છે, પરંતુ વાસ્તવમાં તે કેવી રીતે માનવ ત્વચાને નુકસાન પહોંચાડે છે તેના પર કદી ધ્યાન અપાયું નથી. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનાં સંશોધકો વર્ષોથી એ વાત પર ચર્ચા કરતા આવ્યા છે કે યુવી-બીની તુલનામાં યુવી-એ વધુ નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા પર કરચલી પડે છે અને ત્વચાના ઉત્તુકોમાં પરિવર્તન આવે છે.
વર્તમાનમાં કરેલા અભ્યાસમાં સંશોધકોએ જાણ્યું કે કોઇ પણ યુવી વિકિરણ એકબીજા કરતાં થોડા કે વધુ હાનિકારક હોતા નથી. નુકસાન યુવી ઊર્જાની એ માત્રાથી થાય છે જે ત્વચાને અવશોષિત કરે છે. જેટલી વધુ ઊર્જાનાં વિકિરણો ત્વચાને અવશોષિત કરે છે એટલું વધુ નુકસાન પહોંચે છે. ઓછા વિકિરણો માત્ર ઉપરની સપાટીને નુકસાન પહોંચાડે છે, પરંતુ વધુ વિકિરણ અંદર સુધી અસર કરે છે.