બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vaidehi
Last Updated: 06:46 PM, 11 July 2023
હિમાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિએ તબાહી મચાવી છે. જાનમાલનું મોટું નુકસાન નોંધાયું છે. કુલ્લૂ, મનાલી, મંડી જેવા વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયાં છે. કુદરતનાં આ ભયાવહ કહેરની વચ્ચે ભગવાન ભોલેનાથનું મંદિર પોતાના સ્થાન પર અડીખમ ઊભું જોવા મળ્યું છે. મંડીનું આ ઐતિહાસિક પંચવક્ત્ર મંદિર કલાકો સુધી આક્રમક વ્યાસ નદીનાં ભયંકર વહેણનો સામનો કરતું રહ્યું. સ્થાનીકો માને છે કે પાંચ સદીથી પણ વધારે જૂનાં આ શિવ મંદિરે હિમાચલ પ્રદેશની રક્ષા કરે છે.
This is Mahadev Temple in Himachal pic.twitter.com/rmuHtOW6bW
— Go Himachal (@GoHimachal_) July 10, 2023
500 વર્ષથી પણ જૂનું છે આ મંદિર
500 વર્ષોથી પણ જૂનું આ મંદિર કેદારનાથ મંદિર જેવું જ દેખાય છે. તેથી તેને હિમાચલનું કેદારનાથ મંદિર પણ કહેવામાં આવે છે. વર્ષ 2013ની આવી જ તબાહી દરમિયાન અનેક લોકો મૃત્યુ પામ્યાં હતાં પરંતુ તે સમયે પણ લાખો ટન ભારે મલબાને બાબા કેદારે પોતાના મંદિરનાં પ્રાંગણમાં રોકી રાખ્યું હતું.
#WATCH | Himachal Pradesh: Mandi's Panchvaktra temple has been submerged in water due to a spate in the Beas River. pic.twitter.com/T5ly7WHtOO
— ANI (@ANI) July 9, 2023
લોખંડથી બનેલો પુલ તૂટ્યો પણ મંદિર નહીં
2023માં હિમાચલમાં આવેલી આ તબાહીએ મંડીમાં આવેલા આ મંદિરની આસપાસ જે પ્રકારની તરાજી સર્જી તે જોઈને વિશ્વાસ ન આવે કે બાબા કેદારનું આ મંદિર કઈ રીતે અડગ ઊભું રહ્યું હશે. પંચવક્ત્ર મંદિર એટલે કે મહાદેવની એ મૂર્ત કે જેમાં 5 મુખ હોય છે. પંચમુખી મહાદેવનાં આ મંદિર અને મંડી શહેરને જોડતો વર્ષો જૂનો લોખંડનો પુલ પણ તૂટી પડ્યો પરંતુ આ મંદિર પોતાના સ્થાનથી હટ્યું પણ નહીં.
'પાંડવોએ કરી છે પૂજા-અર્ચના'
મંદિરનાં પુજારી નવીન કૌશિકે જણાવ્યું કે આ મંદિર 16મી સદીમાં રાજાએ બનાવડાવ્યું હતું પરંતુ માન્યતા છે કે આ મંદિર પોતે પાંડવોએ બનાવડાવ્યું હતું જ્યાં પાંડવોએ બાબાની ખુદ પૂજા-અર્ચના કરી હતી. હાલમાં મંદિરનાં પ્રાંગણમાં વ્યાસ નદી દ્વારા વહી આવેલ રેતી અને મલબો ભરેલો પડ્યો છે. જેના લીધે શિવલિંગ દ્રશ્યમાન નથી પરંતુ પૂરને લીધે બાબા કેદારનાં મંદિરને કોઈ જ મોટું નુક્સાન નથી પહોંચ્યું.
#WATCH | Himachal Pradesh: Mandi's Panchvaktra temple has been submerged in water due to a spate in the Beas river following incessant heavy rainfall. pic.twitter.com/sk7wjpbnah
— ANI (@ANI) July 10, 2023
મંદિરનાં અન્ય ભાગોમાં થયું છે નુક્સાન
જો કે મહાદેવનાં આ મંદિરનો મુખ્યદ્વાર ક્ષતિગ્રસ્ત થયો છે. હિમાલયથી નિકળતી વ્યાસ નદીની ધારાઓએ દરવાજાને પણ નુક્સાન પહોંચાડ્યું છે. મલબો ભલે મંદિરમાં આવ્યો પરંતુ તેના લીધે મંદિરની દિવ્યતા અને ભવ્યતાને કોઈ અસર થઈ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime