બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harshil Jadav custodial death case and Congress leader Manish Doshi's statement
Last Updated: 10:27 PM, 24 January 2024
ADVERTISEMENT
જૂનાગઢમાં થોડા સમય પહેલા અમદાવાદના શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાય હતી.તનિષ્ક ટુર એન્ડ ટ્રાવેલ્સ કેસમાં ફ્રોડ થયા હોવાનો કેસ આદમ સિડાએ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં કરાવે છે. આ પ્રકરણમાં સંડોવાયેલ શખ્સની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મકવાણાએ દબોચી લીધો હતો. આરોપી હર્ષિલ જાદવની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પીએસઆઇએ બેરહેમેથી માર મારતા માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.આરોપીએ પીએસઆઈ સાથે 3 લાખમાં સેટલમેન્ટ ન કરતા બેહદ માર માર્યો હતો. જેને લઈને આરોપીને ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશનેથી કોર્ટમાં લઈ જતા જજ પણ ચોકી ઉઠ્યા હતા અને તુરંત જ તપાસનો આદેશ આપ્યો હતો.
હર્ષિલનું મોત નીપજ્યું
ADVERTISEMENT
પરંતુ પોલીસે ચોરી પર સીના ચોરીની જેમ ભોગ બનનાર હર્ષિલ જાદવને દવાખાને લઈ જવાને બદલે જેલમાં મોકલ્યો પરંતુ જેલના સત્તાધીશો એ પણ ઇજાગ્રસ્ત હાલતમાં હર્ષિલનો કબજો ન સંભાળ્યો અંતે હર્ષિલને જામીન પર મુક્ત કરતા અમદાવાદ પહોંચ્યા હતા. 21 જાન્યુ એ વકીલને મળવા જતા હર્ષિલ અચાનક પડી જાય છે અને હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના ડોકટરે હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવે છે. પોલીસના સખત મારને કારણે બ્લડકલોટિંગ થવાથી હાર્ટ એટેક આવ્યો હોવાનો દાવો કરાયો હતો.
ADVERTISEMENT
પીએસઆઇ મુકેશ મકવાણા વિરુદ્ધ અત્યાચારનો ગુન્હો
હર્ષિલની સ્થિતિ ગંભીર બનતા તેના ભાઈ બ્રીજેશે પીએસઆઇ મકવાણા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં પોલીસે પીએસઆઇ મકવાણા વિરૂદ્ધ 307 અને 331નો ગુનો નોંધી તપાસ હાથ ધટી હતી પરંતુ યુવક નું મોત થતા હવે 302 નો ગુનો પણ દાખલ કરેલ છે. પરંતુ હર્શિલ 23 જાન્યુઆરી એ મૃત્યુ પામ્યો હતો. પોલીસે આ બનાવની ગંભીરતા સમજી અંતે બી ડિવિઝનના પીએસઆઇ મુકેશ મકવાણા વિરુદ્ધ અત્યાચારના પ્રયાસ ઉપરાંત હત્યાની કલમ 307 ઉમેરી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. હવે આ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે.
ADVERTISEMENT
જવાબદાર સામે કડક પગલાં લેવાની માગ: કોંગ્રેસ
આ બાબતે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે કે જૂનાગઢમાં મુકેશ જાદવ નામના વ્યક્તિને કોઈ ગુના બાબતે પોલીસે રિમાન્ડ પર લીધા હતા. તે બાદ પરિવાર પાસે 3 લાખ રૂપિયાને લાંચ માંગવામાં આવી હતી. પરંતુ પરિવાર લાંચ ન આપી શકવાથી રિમાન્ડમાં માર મારવાથી તેનું મોત થયું છે. પોલીસની વર્દીને ગુંડાગીરીનો ભોગ લોકો બની રહ્યા છે. તેમજ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ થાય અને જવાબદાર સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી કોંગ્રેસી માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.