બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Harbhajan flashes on Team India

ક્રિકેટ / હરભજનનું મોટું નિવેદન : શાસ્ત્રી બસ વાતો કરી જાણે છે, ટીમમાં આ લોકોને...

Published By: Intern

Last Updated: 12:36 PM, 4 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતની શરમજનક હાર બાદ ટીમ ઈંડિયા સતત સવાલો ઉભા થઈ રહ્યાં છે ત્યારે ટીમ ઈંડિયાના ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે ટીમ ઈંડિયા માત્ર વાતો કરી શકે પરંતુ તેમના રેકોર્ડ કંઇક બીજું જ કહી રહ્યાં છે. તેમણે ટીમના ત્રણ ખેલાડી પૃથ્વી શો, રિષભ પંત અને અજીન્ક્યા રહાણે પર સવાલો ઉઠાવ્યા છે.

  • હરભજન ટીમ ઈંડિયા પર ભડક્યા
  • રહાણેની આલોચના કરી
  • રવિ શાસ્ત્રી માત્ર વાતો કરે છે - હરભજન સિંહ

હરભજનનું મોટું નિવેદન

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Always hope that I keep seeing the cricket ball as big as a football😀🏏

A post shared by PRITHVI SHAW (@prithvishaw) on

હરભજને એક ન્યુઝ એજેન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે પૃથ્વી શો રન બનાવે છે પરંતુ તેમની ટેક્નિક જોઈ લાગે છે તે ક્યારેય પણ આઉટ થઈ શકે છે. મને શો પર બિલકુલ ભરોસો નથી. શુભમન ગિલ ટીમમાં પહેલાથી છે તો તેમને મોકો આપ્યો નહી. ટીમ ઈંડિયા યુવા ખેલાડીઓ ને પરિપક્વ બનાવી નથી રહી. અને ગિલને સાથે રાખ્યો છે પણ તેમને મોકો આપવામાં આવતો નથી.

 

પંત પર પણ ઉઠ્યા સવાલ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

3:0 🇮🇳 🙌🏻

A post shared by Rishabh Pant (@rishabpant) on

હરભજને પંતને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. અને કહ્યું કે સાહાને ટીમમાંથી બહાર કેમ કર્યો છે. જો કે પંત સારા ફોર્મમાં નથી. અને કહ્યું કે રિષભ પંતને ઋદ્ધીમાન સાહાની જગ્યાએ મોકો આપવામાં આવ્યો છે. પરંતુ મને સમજાતું નથી કે સાહાને ટીમમાંથી બહાર કેમ કરવામાં આવ્યો છે. પંતનું તો ફોર્મ પણ ખરાબ હતું અને તેમણે પ્રેક્ટીસ મેચમાં પણ તેમની કુશળતા દેખાડી ન હતી.

 

રહાણેની ખોલી પોલ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Your belief is your biggest strength! #ThursdayThoughts

A post shared by Ajinkya Rahane (@ajinkyarahane) on

હરભજન સિંહે અજીન્ક્યા રહાણેની પણ આલોચના કરી. અને સાથે સાથે તેમ પણ કહી દીધું કે દુનિયાભરની ટીમોને ખબર પડી ગઈ છે કે રહાણે શોર્ટ બોલમાં રમી શકતા નથી. રહાણે રન તો બનાવી જ નથી શક્યા પરંતુ મોટી વાત તે છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કાઈસ્ટચર્ચમાં ટેસ્ટની બીજી ઈંનિંગમાં જે રીતે શોર્ટ બોલ હેરાન થતાં હતા. હવે તેમણે દુનિયાભરમાં પોતાની છાપ છોડી દીધી. હવે દુનિયાભરમાં જ્યાં પણ જશે ત્યાં તેમની સામે શોર્ટ બોલ ફેકવામાં આવશે. 

 

રવિ શાસ્ત્રી માત્ર વાતો કરે છે

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🇮🇳 🙏 #TeamIndia

A post shared by Ravi Shastri (@ravishastriofficial) on

હરભજન સિંહે અજીન્ક્યા રહાણેની બેટિંગ આલોચના સાથે સાથે રવિ શાસ્ત્રીની પણ ઝાટકણી કરી છે. રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે ભારતીય ટીમ વિદેશમાં સૌથી સારું પ્રદશન કરવાવાળી ટીમ છે. જો કે તે એકદમ ખોટું પડ્યું. હરભજને કહ્યું કે રવિ શાસ્ત્રીના આ દાવાને હું બિલકુલ નથી માનતો. હા બસ ફર્ક એટલો છે કે પહેલા અમે ઈકોનોમી ક્લાસમાં જતા હવે ફર્સ્ટ ક્લાસમાં જાય છે. રવિ શાસ્ત્રીના વખાણ મુજબ ટીમનો રેકોર્ડ કંઇક અલગ જ છે. સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ 4 સીરીઝમાં ભારતે 3 સીરીઝ ગુમાવી છે. માત્ર ઓસ્ટ્રેલિયામાં સીરીઝ જીત્યા છીએ. તે પણ ટીમમાં વોર્નર અને સ્મિથ હતા નહિ. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Ajinkya Rahane Cricket Harbhajan Sigh Ravi Shastri Rishabh Pant અજ્નીક્યા રહાણે ક્રિકેટ રવિ શાસ્ત્રી રિષભ પંત હરભજન સિંહ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ