બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / વડોદરા / Harani lake boat incident Eyewitness Rinaben Patel said that at the time of the accident, the boat driver had run away
Dinesh
Last Updated: 05:40 PM, 19 January 2024
વડોદરાના હરણી તળાવમાં બનલી દુર્ઘટના મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક આક્ષેપો પણ થઈ રહ્યાં છે. જો કે, આ બધાની વચ્ચે આ ઘટનાના પ્રત્યક્ષદર્શીનું નિવેદન સામે આવ્યું છે. હરણી લેક દુર્ઘટના પ્રત્યક્ષદર્શી રીનાબેન પટેલ જણાવ્યું છે કે, 'બોટ ચલાવનારા આસપાસના લારીગલ્લા વાળા હતા
ત્રણ ડ્રાઈવર બાળકોને બચાવવા કુદ્યા હતા: પ્રત્યક્ષદર્શી
પ્રત્યક્ષદર્શી રીનાબેન પટેલે કહ્યું કે, દુર્ઘટના સમયે બોટ ચલાવનાર ભાગી ગયા હતાં. માત્ર 8 બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા. વધુમાં કહ્યું કે, બચાવ કામગીરી માત્ર ટેમ્પો ડ્રાઈવરોએ જ કરી હતી અને સ્થિતિ એવી હતી કે અમને કોને બચાવવા તે સૂઝતુ ન હતું. બોટ ચલાવનારા વ્યક્તિઓને કોઈ જ અનુભવ ન હતો અને તળાવ પાસે સોસાયટીનો દરવાજો બંધ હોવાથી અમે મદદ ન કરી શક્ય. જો કે, આ સમય ટેમ્પાના ત્રણ ડ્રાઈવર બાળકોને બચાવવા કુદ્યા હતા
માત્ર ત્રણ લોકો બાળકોને બચાવી રહ્યાં હતાં
તેમણે કહ્યું કે, અમે જોયું હતું કે, કેટલીક લાશો પડી હતી કેટલાક બાળકો તળાવમાંથી બહાર આવી રહ્યાં હતાં અને કેટલાક ડૂબી રહ્યાં હતા, ત્યાં માત્ર ત્રણ લોકો બાળકોને બચાવી રહ્યાં હતાં. બાદમાં પાંચ વાગ્યાની આજુબાજુ બધા લોકો આવ્યા હતાં
વાંચવા જેવું: ભારે કરી! સેવ ઉસળનો નાસ્તો બનાવનારને અપાયો બોટિંગનો કોન્ટ્રાક્ટ, પછી દુર્ઘટના ના ઘટે તો બીજું શું થાય?
બેદરકારીના કારણે દૂર્ઘટના
દરેક બોટિંગ રાઇડ ચાલુ કરતા પહેલા જરૂરી સૂચનાઓ આપવી જોઇએ. જે અપાઇ ન હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને એકી સાથે ઠાંસીઠાંસીને બેસાડી બોટિંગ કરાવાતાં આ દુર્ઘટના ઘટી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. જો કે રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા પર ચાલતા તમામ એકમો, જગ્યાઓ કે સેવાઓમાં આચરાતી ઘોર બેદરકારીના કારણે વારંવાર મોટી હોનારતો બને છે. તેવામાં આવી ઘટનાઓ રોકવા માટે બિનીત કોટીયા જેવા કોન્ટ્રાક્ટરોને આકરીમાં આકરી સજા થાય તેવી માગ ઉઠી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ