બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 09:00 PM, 31 March 2023
હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું અનેરું મહત્ત્વ રહેલું છે. કોઈપણ વ્યક્તિ બજરંગબલીની પૂજા કરી શકે છે, મંગળવાર અને શનિવારના રોજ બજરંગબલીની પૂજાને શુભ માનવામાં આવે છે. આ બે દિવસો સિવાય વર્ષમાં એક એવો દિવસ પણ આવે છે, જ્યારે પૂજા કરવામાં આવે તો હનુમાનજીની અપરંપાર કૃપા વરસે છે. જેને હનુમાન જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે 6 એપ્રિલ 2023ના રોજ હનુમાન જયંતિ ઊજવવામાં આવશે. હનુમાન જયંતિની પૂજા, શુભ મુહૂર્ત, વિધિ તથા ધાર્મિક મહત્ત્વ વિશે અહીંયા વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે.
શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિની ઊજવણી કરવામાં આવે છે. 5 ઓક્ટોબર 2023ના રોજ સવારે 09:19 વાગ્યાથી હનુમાન જયંતિનો પ્રારંભ થશે અને 6 એપ્રિલ 2023ના રોજ સવારે 10:04 વાગ્યે આ તિથિ પૂર્ણ થશે. ઉદય તિથિને આધાર માનીને જ 6 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઊજવણી કરવામાં આવશે.
પૂજા વિધિ
હનુમાન જયંતિનું પુણ્યફળ મેળવવા માટે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન ધ્યાન કરી લેવું જોઈએ. ત્યારબાદ પૂજા સ્થળ પર લાલ કપડું પાથરીને હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો મુકીને તેને ગંગાજળથી પવિત્ર કરવો જોઈએ. હનુમાનજીની પૂજામાં લાલ કલરનું ફૂલ, રોલી, ચંદન, અક્ષત, મોતીચૂરના લાડવા તથા બૂંદીના લાડવા અર્પણ કરવા જોઈએ. હનુમાન ચાલીસાના સાત વાર પાઠ કરો. હનુમાનજીના ભોગમાં તુલસી દળ અર્પણ કરો. આ દિવસે સાધકે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને વ્રત તથા પૂજા કરવી જોઈએ.
પૂજાનું મહત્ત્વ
હિંદુ ધાર્મિક ગ્રંતોમાં હનુમાન જયંતિના દિવસે હનુમંત સાધનાનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એક એવા દેવતા છે, જે દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહે છે. તેઓ હંમેશા તેમના ભક્તોની મદદ કરે છે. સનાતન પરંપરામાં ચિરંજીવી કહેવાતા હનુમાનજીની સાધનાને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, હનુમાનજીની પૂજા કરનાર વ્યક્તિ પાસે ક્યારેય પણ બલા આવતી નથી અને શત્રુઓ સામે રક્ષણ મળે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime