ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉનાના ચકચારી કાંડમાં 5 દોષિત, ગાયનું ચામડું ઉતારવાના શકમાં મરાયો હતો ઢોરમાર
Last Updated: 09:03 PM, 16 March 2026
ADVERTISEMENT
Una Dalit Assault Case : ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત ઉના દલિત અત્યાચાર કેસ 2016 મામલે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. વાસ્તવમાં વેરાવળ કોર્ટે આ કેસમાં કુલ 42 આરોપીઓમાંથી 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દોષિત ઠરેલા આરોપીઓને કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે.
ADVERTISEMENT
આ લોકો જાહેર થયા દોષી
કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા આરોપીઓમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીનો સમાવેશ થાય છે. જ્યારે આ કેસમાં સામેલ 37 આરોપીઓને પુરાવા પૂરતા ન હોવાના કારણે નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા છે. તેમાં ચાર પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. નિર્દોષ જાહેર કરાયેલા લોકોમાં કંચનબેન, તત્કાલીન PSI પાંડે, તત્કાલીન ઉના PSO કરશન ભાઈ અને નિર્મલ ઝાલા (નિધન થઈ ચૂક્યું છે) નો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

શું હતો સમગ્ર મામલો?
ADVERTISEMENT
આ ઘટના 11 જુલાઈ, 2016ના રોજ ઉના તાલુકાના મોટા મોટા સમઢિયાળા ગામે બની હતી. દલિત સમાજના સાત લોકોને મરેલી ગાયનું ચામડું ઉતારવાની શંકા રાખી કેટલાક લોકોએ કાર સાથે બાંધીને લાકડીઓ અને પાઇપ જેવા હથિયારો વડે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ ઘટનાના કારણે દેશભરમાં દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને હુલ્લડના બનાવો નોંધાયા હતા. અંદાજે 74 જેટલા હુલ્લડના બનાવો સામે આવ્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત પણ થયું હતું અને જાહેર મિલકતોને મોટું નુકસાન થયું હતું. હવે આ કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે અને દોષિત ઠરેલા આરોપીઓને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ