બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 'બહેન-દિકરીઓને આડો આવ્યો તો છોડીશ નહીં', બોટાદના ઉમરાળા ગામે પુરુષોત્તમ સોલંકીએ હુંકાર કર્યો
Last Updated: 07:38 PM, 16 March 2026
Purushottam Solanki : પુરુષોત્તમ સોલંકીએ બોટાદ જિલ્લાના ઉમરાળા ગામે યોજાયેલા સમૂહલગ્ન કાર્યક્રમમાં હાજરી આપી લોકો સમક્ષ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન તેમણે ખાસ કરીને સમાજની બહેન-દિકરીઓની સુરક્ષા અંગે કડક વલણ દાખવી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, તમારો સાવજ સારા સારાને ખાઈ જશે.
ADVERTISEMENT
'બહેન-દિકરીઓને આડો આવ્યો તો છોડીશ નહીં', બોટાદના ઉમરાળા ગામે પુરુષોત્તમ સોલંકીએ હુંકાર કર્યો#botad #umrala #parshottamsolanki #vtvdigital pic.twitter.com/Z2VXTPOhND
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 16, 2026
સમૂહલગ્ન કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે પુરુષોત્તમ સોલંકીએ કહ્યું કે લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે “તમારો સાવજ હજુ જીવે છે અને જો કોઈ બહેન-દિકરીઓને આડો આવશે તો તેને છોડવામાં નહીં આવે.” તેમના આ નિવેદનથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, તેઓ માત્ર બોલવામાં નહીં પરંતુ કામ કરીને બતાવવામાં વિશ્વાસ રાખે છે. સમાજને મુશ્કેલી પડે ત્યારે તેઓ હંમેશા સાથે ઊભા રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT

આ સાથે સાથે સાથે પુરુષોત્તમ સોલંકીએ રાજકારણ અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, ઘણા લોકો કહે છે કે તેઓ વધારે રાજકારણ કરે છે, પરંતુ જો તેઓ ખરેખર રાજકારણ કરવા માંગતા હોત તો આજે મુખ્યમંત્રીના પદ પર પણ હોઈ શકતા. તેમણે ઉમેર્યું કે તેમને કોઈને ખુશ કરવા માટે ભાઈ-બાપા કહેવું કે પગે પડવું આવડતું નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'ગુજરાતમાંથી સેટેલાઈટ લોન્ચ કરી શકાશે', અર્જુન મોઢવાડિયાની વિધાનસભામાં મોટી જાહેરાત
આ કાર્યક્રમમાં 11 દિકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુંવરજી બાવળિયા, કાળુભાઇ ડાભી અને શંકર વેગડ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સમૂહલગ્નના આ કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેને કારણે કાર્યક્રમનું મહત્વ વધુ વધ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.