બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'અમે હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની વાતો કરીએ છીએ', રાજકોટમાં બાગેશ્વર બાબાએ ટીકાકારોને આપ્યો જવાબ
Last Updated: 06:27 PM, 5 June 2026
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હંમેશા ચર્ચામાં રહે છે. બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસીય હનુમાન કથા અને ભવ્ય ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજથી શરૂ થઈને આગામી ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલશે.
ADVERTISEMENT
ચેલેન્જ આપનારાઓને જવાબ આપ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું છે દરેક જગ્યાએ માતા સીતા કરતા પણ વધુ અમારી પરીક્ષા લેવાઈ રહી છે. અમે હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની અને ધર્માંતરણ અટકાવવાની વાત કરીએ છીએ. અમારા પર ટિપ્પણી કરવાવાળાઓને પણ અમે થેન્ક યું કહેશું. તેમણે વધુમાં કહ્યુ કે ક્યારેક એ લોકો ઉપર પણ ટિપ્પણી કરો કે જેઓ દેશમાં લવ જેહાદ ફેલાવવા માંગે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ચેતવતો કિસ્સો / મોલમાં યુવતી સાથે અફઝલે ખેલ્યો 'લવ જેહાદ'નો ખેલ, રજિસ્ટ્રેશન કરતા ભાંડો ફૂટ્યો
ADVERTISEMENT
કેમ થયો વિવાદ
બીજી તરફ બાબા બાગેશ્વરના રાજકોટ આગમનની સાથે ‘દિવ્ય દરબાર’ તેમજ ‘ચિઠ્ઠી પરચી’ પ્રથાને લઈને મોટો વિવાદ પણ શરૂ થઈ ગયો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાએ બાબાના ચમત્કારોના દાવાને પડકાર્યા છે. જેને પગલે શહેરમાં વાતાવરણ ગરમાયું છે. વિવાદને જોતા રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.