બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગીતા મકવાણા બન્યા વડોદરાના મેયર, આદિત્ય પટેલ ડે.મેયર અને વર્ષાબહેન વ્યાસ સ્ટેન્ડિગ ચેરમેન
Last Updated: 10:51 AM, 28 May 2026
Vadodara Mayor : ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ હવે નવા પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે. ચૂંટણીને લગભગ એક મહિનો પૂર્ણ થતાં ભાજપ દ્વારા વિવિધ મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત શરૂ કરવામાં આવી છે. રાજ્યભરના રાજકીય વર્તુળોમાં આ નિમણૂકોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. 26 મેના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત કુલ આઠ મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓના નામ જાહેર થયા બાદ આજે સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, વલસાડ-વાપી અને સુરેન્દ્રનગરમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
વડોદરા મનપામાં મહિલા રાજ
વડોદરા મહાનગરપાલિકામાં ભાજપે મહિલા નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતાં ગીતા મકવાણાને મેયર તરીકે પસંદ કર્યા છે. સાથે જ આદિત્ય પટેલને ડેપ્યુટી મેયર અને વર્ષાબહેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપ તરફથી મંજૂરી મળ્યા બાદ આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આગામી અઢી વર્ષ માટે આ પદાધિકારીઓ શહેરના વિકાસ અને નગરવ્યવસ્થાની જવાબદારી સંભાળશે.
ADVERTISEMENT
સુરતમાં કોણ બનશે મેયર ?
સુરત મહાનગરપાલિકામાં પણ પદાધિકારીઓની પસંદગીને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપે અહીં ભવ્ય બહુમતી મેળવી ફરી સત્તા કબજે કરી છે, જેના કારણે હવે મેયર પદ માટે વિવિધ સમીકરણો મહત્વના બની ગયા છે. ખાસ કરીને ‘મૂળ સુરતી’ અને ‘સૌરાષ્ટ્રવાસી’ મહિલા કોર્પોરેટરો વચ્ચે રાજકીય સંતુલન જાળવવાનો પ્રયાસ પક્ષ માટે પડકારરૂપ માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આ વખતે મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી પાટીદાર સમાજમાંથી મહિલા નેતૃત્વને તક મળવાની શક્યતાઓ વધુ જોવા મળી રહી છે. વરાછા અને કતારગામ વિસ્તારમાં ભાજપના મજબૂત પ્રદર્શન બાદ પાટીદાર ચહેરા પર દાવ લગાવવામાં આવી શકે છે તેવી રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
વધુ વાંચો : સચિવાલયમાં 36 સેક્શન અધિકારીઓની બદલી અને 81 અધિકારીઓને બઢતી, જુઓ લિસ્ટ
ADVERTISEMENT
રાજકોટને આજે મળશે મેયર
રાજકોટમાં પણ પદાધિકારીઓની પસંદગી માટે બંધ બારણે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. લાંબા સમયથી રાજકીય રીતે નિષ્ક્રિય ગણાતા નીતિન ભારદ્વાજની બેઠકમાં હાજરીએ ચર્ચાઓને વધુ વેગ આપ્યો હતો. ધારાસભ્યો અને શહેર સંગઠનના નેતાઓ વચ્ચે ઉમેદવારોને લઈને મથામણ ચાલી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ જનરલ બોર્ડ દરમિયાન કેટલાક કોર્પોરેટરો સાયકલ લઈને પહોંચ્યા હતા, જેના કારણે આ દૃશ્ય ખાસ ચર્ચાનો વિષય બન્યું હતું. જનસંપર્ક અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવા માટે તેઓએ આ અનોખી રીત અપનાવી હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજ્યભરમાં મનપાના નવા હોદ્દેદારોની જાહેરાત બાદ હવે આગામી અઢી વર્ષ દરમિયાન શહેરોના વિકાસકાર્યોને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.