બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વાહ! ગણપતિનું અદભુત વિસર્જન, સામે આવ્યા હજીરાના આકાશી દ્રશ્યો, જુઓ Video

સુરત / વાહ! ગણપતિનું અદભુત વિસર્જન, સામે આવ્યા હજીરાના આકાશી દ્રશ્યો, જુઓ Video

Priykant Shrimali

Last Updated: 12:35 PM, 6 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Ganpati Visarjan : સુરતના હજીરા ખાતે ગણપતિ વિસર્જન માટે કુલ 14 જેટલી વિશાળ ક્રેનો મૂકવામાં આવી, અહીં જુઓ આકાશી દ્રશ્યો

Surat Ganpati Visarjan : સુરત શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ઉમંગ અને ઉમાલાથી કરવામાં આવે છે. દર વર્ષે હજારો ભાવિકો પોત પોતાના વિસ્તારમાંથી ગણપતિ બાપ્પાનું ઘરમાં આવકારે છે અને પછી વિધિવત રીતે વિસર્જન કરે છે. ખાસ કરીને મોટી અને વિશાળ પ્રતિમાઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હજીરા ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે પણ હજીરા ખાતે મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ભવ્ય રીતે યોજાયું.

સુરતના હજીરા ખાતે ગણપતિ વિસર્જન માટે કુલ 14 જેટલી વિશાળ ક્રેનો મૂકવામાં આવી હતી. આ ક્રેનો મુકવાને કારણે વિસર્જન પ્રક્રિયા સરળ અને સુરક્ષિત રીતે થઈ શકશે. આ વિશાળ ક્રેનો દ્વારા દરિયામાં પ્રતિમાનું ધીરે ધીરે વિસર્જન કરવામાં આવ્યું અને આ સમગ્ર દ્રશ્ય એક ભવ્ય આકાશી નજરે પડ્યું હતું.

પોલીસ કમિશ્નર પણ હાજર

આજે ગણપતિ વિસર્જન દરમિયાન સુરત પોલીસ કમિશ્નર પણ હજીરા ખાતે હાજર રહી સમગ્ર વ્યવસ્થા અને સલામતીનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ વિભાગ દ્વારા એ પ્રયાસ પણ કરવામાં આવ્યા કે, વિસર્જન પ્રક્રિયા વહેલી તકે શરૂ થઈ જાય જેથી ભીડ ટાળી શકાય અને ટ્રાફિક પણ નિયંત્રિત રહી શકે. હજીરા વિસર્જન સ્થળે ડ્રોન કેમેરા, સીસીટીવી, એલઈડી સ્ક્રીન, જીવરક્ષા બોટ અને NDRF ટીમ જેવી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે કાર્ય પાર પાડવામાં આવ્યું.

આ પણ વાંચો : આજે અનંત ચતુર્દશી: એક જ ક્લિકમાં જાણો ગણેશ વિસર્જનની પૂજા વિધિથી લઇને શુભ મૂહુર્ત

હવે જાણીએ ગણેશ વિસર્જન દરમિયાન રાખવાની મહત્વની સાવચેતીઓ

  • પ્રાકૃતિક જળસ્ત્રોતને દૂષિત ન કરવું : પ્લાસ્ટિક અને તત્ત્વોવાળી સામગ્રી સાથે પ્રતિમાઓનું વિસર્જન ટાળવું.
  • શાંતિ જાળવવી : કોઈપણ પ્રકારના ઉગ્ર મ્યુઝિક અથવા ધ્વનિપ્રદૂષણથી બચવું.
  • ટ્રાફિક નિયમોનું પાલન કરવું : વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિક નિયમોનું સખત પાલન કરવું.
  • સ્વચ્છતા જાળવવી : વિસર્જન પછી જગ્યા પર કચરો ન છોડવો.
  • પાણીમાં પ્રવેશતા પહેલા સલામતી તપાસવી : ખડકો, ઊંડાણ અને પાણીની લહેરોને ધ્યાનમાં રાખવું.
  • બાળકો અને વૃદ્ધોની ખાસ નજર રાખવી : ભીડભાડમાં તેઓને ખોવાઈ ન જાય તે ધ્યાનમાં લેવું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganpati Visarjan Surat Hazira
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ