રાજ્યમાં શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ થશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની જાહેરાત કરી છે.
રાજ્યમાં સરકારે માધ્યમિક, ઉ.માધ્યમિક અને કોલેજો ખોલવાનો કેબિનેટ મીટિંગ બાદ નિર્ણય કર્યો છે. આગામી 23 નવેમ્બરથી ધો 9 થી 12 અને કોલેજોને શરૂ કરાશે. જ્યારે ધો. 1થી 8નો નિર્ણય આગામી દિવસોમાં કરવામાં આવશે. તમામ ઉંમરના શિક્ષકોએ ફરજિયાત આવવાનું રહેશે તેમ પણ સરકારે જણાવ્યું હતું.
ગુજરાતમાં સ્કૂલો ખોલવાને લઈને મહત્વની વાતો
23મી નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ
23નવેમ્બરથી ધોરણ 9-12ના વર્ગો ભારત સરકારની ગાઈડલાઈન સાથે શરૂ થશે
મેડિકલ અને પેરામેડિકલ, ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયરિંગ, પોલીટેકનિક, ITI શરૂ થશે
શાળા-કોલેજમાં વિદ્યાર્થીની ગેરહાજરી નહી ગણાય
વાલીઓની લેખિત મંજૂરી શાળા-કોલેજે લેવાની રહેશે
ઓનલાઈન શિક્ષણ પણ ચાલૂ રહેશે
ગુજરાતમાં 23મી નવેમ્બરથી ખૂલશે શાળા-કોલેજ
દિવાળી પછી 23મી નવેમ્બરથી ગુજરાતમાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, કોલેજ, યુનિવર્સિટીમાં વર્ગશિક્ષણ શરૂ થશે
ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઈનના પાલન સાથે શરૂ થશે
ધોરણ 1 થી 8ના વર્ગો ક્યારે શરૂ કરવા તે આ શાળા-કોલેજના અનુભવો પછી નક્કી કરાશે
ઓડ-ઈવનનો વિકલ્પ છે, જ્યાં ધો.9 અને 10 છે ત્યાં સોમ, બુધ શુક્ર 9મું ધોરણ અને બાકીના મંગળ, ગુરુ, અને શનિએ 10મા ધોરણના વર્ગો શરૂ રહેશે
ધોરણ 11 અને 12 માટે પણ ઓડ-ઈવનના ધોરણે શૈક્ષણિક વર્ગો શરૂ થશે
કોલેજો-યુનિવર્સિટીઓમાં પણ 23મી નવેમ્બરથી શૈક્ષણિક વર્ગો શરૂ થશે
કોલેજ-યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે
ગ્રેજ્યુએટ કક્ષાએ માત્ર ફાઈનલ ઈયર એટલે કે કોલેજના છેલ્લા વર્ષમાં હોય એના જ ક્લાસ જ શરૂ થશે
ઈજનેરી, પોલિટેકનિક, ITIમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના જ ક્લાસ શરૂ થશે
શાળા કોલેજોએ દરેક વિદ્યાર્થીને વાલીની સંમતિનું ફોર્મ આપવાનું રહેશે અને સંમતિ મેળવવાની રહેશે
પ્રાર્થના, રિસેસમાં બાળકો એકઠા ન થાય તે માટે શાળા-કોલેજ ધ્યાન રાખશે