ગાંધીનગર /
શિક્ષણમંત્રીએ કહ્યું- ગુજરાતમાં હાલ શાળા શરૂ કરવા અંગે કોઇ વિચારણા નહીં, ધો. 1થી 8માં માસ પ્રમોશન આપવાની વાલીઓએ કરી માંગ
Team VTV06:27 PM, 21 Dec 20
| Updated: 07:50 PM, 21 Dec 20
કોરોનાની મહામારીને કારણે શાળા-કોલેજોમાં વર્ષ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી બાદ શરૂ થનારૂ શાળાનું સત્ર પણ શરૂ થઈ શક્યુ નથી ત્યારે હવે શાળાઓ ખુલશે કે નહીં તે અંગે સૌ કોઈ અવઢવમાં છે. તેવામાં હવે શાળા શરૂ કરવા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે એવી શક્યતાઓ સેવાઇ રહી છે કે, આ વર્ષે શૈક્ષણિક સત્રમાં શાળા શરૂ નહીં થઇ શકે.
આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળા શરૂ નહીં થાય તેવી શક્યતા
ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપી શકે છે સરકાર
નવા સત્રથી જ સ્કૂલ શરૂ કરવાનું સરકારનું આયોજનઃ સૂત્ર
શાળા ખોલવા કે ન ખોલવા અંગે સરકારે ઝડપી નિર્ણય લેવા વાલીઓએ અપીલ કરી છે. ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, ગુજરાતમાં હાલ શાળા શરૂ કરવા અંગે કોઇ વિચારણા નહીં. માસ પ્રમોશન અંગે પણ સરકારનો કોઇ નિર્ણય નહીં. યોગ્ય સમયે નિર્ણય લેવાશે, હાલ કોઇ ચર્ચા નહીં. ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળાઓ શરૂ નહીં થાય તેવી શક્યતા છે. નવા સત્રથી જ શાળા શરૂ કરવાનું સરકારનું આયોજન હોવાનું સૂત્રોનું માનવું છે.
ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપી શકે છે સરકાર
એવી શક્યતાઓ છે કે એપ્રિલ માસ સુધી શાળા શરૂ કરી શકાશે નહીં. બોર્ડ પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થઇ શકે છે. ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવા બાબતે સરકારની વિચારણા કરી રહી છે. આગામી સમયમાં 9થી 12ની પરીક્ષાને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. શાળાઓ શરૂ થાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી સ્થિતિ છે.
ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન માટે વાલીઓ માંગ કરી રહ્યા છે. દિવાળી બાદ રાજ્ય સરકારનું શાળાઓ શરૂ કરવા અંગે આયોજન હતું. દિવાળી બાદ કોરોનાના કેસો વધતા શાળાઓ શરૂ કરવાનું મોકૂફ રખાયું હતું. હવે શાળાઓ નવા સત્રથી શરૂ થાય તેવી આશા વાલીઓ રાખી રહ્યા છે.