બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:43 AM, 27 August 2025
ગુજરાતમાં છેલ્લા કેટલાંક અઠવાડિયાથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. જોકે, હવે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે એવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે, પરંતુ ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા બહુ ઓછી છે.
ADVERTISEMENT

હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ વરસાદ તો પડશે પરંતુ તે છૂટો-છવાયો અને હળવો રહેશે. તેમ છતાં તકેદારીના ભાગરૂપે માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT

હવામાન વિભાગની વિગતવાર માહિતી મુજબ ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનારે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને આવતા બે દિવસમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ હરિયાણા અને ઉત્તરપૂર્વ રાજસ્થાન પર અપર એર સર્ક્યુલેશન પણ સક્રિય છે. મોન્સૂન ટ્રફ હાલમાં ગંગાનગરથી લઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાત માટેની આગાહી મુજબ 27 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. માત્ર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં માત્ર છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.

ADVERTISEMENT
28 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત્ત છે. 29 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં જ ભારે વરસાદની આગાહી છે. બાકીના સમગ્ર ગુજરાતમાં માત્ર છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો : Rajkot માં ડાંગર કોલેજમાં પૈસા આપો તો જ પાસ થવાય, ગરીબ વિદ્યાર્થીએ આપઘાત કરવો પડ્યો
ADVERTISEMENT
30 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. બાકીના જિલ્લાઓમાં વરસાદની શક્યતા બહુ ઓછી રહેશે. આગામી સાત દિવસ ગુજરાતમાં મેઘરાજા છૂટાછવાયા ઝાપટા વરસાવતા રહેશે, પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગે ખેડૂતો અને માછીમારોને તકેદારી રાખવા સૂચના આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.