બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / આગામી 3 દિવસ રાજ્યના 19 જિલ્લાઓમાં ધમધોકાર વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં ક્યારે પડશે મેઘમહેર
6 ફોટો ગેલેરી
Last Updated: 07:07 AM, 28 June 2026
1/6
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતો માટે વધુ એક ખુશખબર સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ એટલે કે 28 જૂનથી 30 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આ આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતીના કામ માટે આ વરસાદ ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે.
2/6
મધ્ય ગુજરાતના મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સારો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીરસોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી આગાહી કરવામાં આવી છે.
3/6
હવામાન વિભાગની આગાહી મુજબ 28 જૂનના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. આ દિવસે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
4/6
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 જૂનના રોજ પણ વરસાદનું જોર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લામાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા હોવાથી ખેડૂતોને ખેતીના કામમાં રાહત મળી શકે છે.
5/6
6/6
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ દરિયામાં પવનની ગતિ વધી શકે તેવી શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કુલ 19 જેટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના હોવાથી ખેડૂતો માટે આ આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વરસાદના કારણે ખેતીના પાકને પૂરતો લાભ મળશે અને પાણીની સ્થિતિમાં પણ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ