બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોબામાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે પડ્યા સૂર્યના કિરણ, નજારો જોઈ ભક્તો અભિભૂત
Last Updated: 03:32 PM, 22 May 2025
Koba Mahavir Sun Tilak : કોબા ખાતે ભગવાન મહાવીરના લલાટે ફરી એકવાર સૂર્ય તિલકના દર્શન થયા છે. વાસ્તવમાં ગાંધીનગરના કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષે આ ઘટના બને છે. આજે ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્ય તિલકનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. વિગતો મુજબ મહાવીર સ્વામીની મૂર્તિના લલાટના મધ્યમાં સૂર્ય નારાયણના કિરણો પડે છે. આ તરફ સૂર્યનારાયણના કિરણોથી મહાવીર સ્વામીના લલાટે તિલક બને છે. શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી આ તિલક બને છે. નોંધનીય છે કે, દર વર્ષે મે મહિનાની 22 તારીખે આ પ્રકારની એક અદ્ભુત ખગોળકીય ઘટના બને છે.
ADVERTISEMENT
ગાંધીનગરના કોબામાં ભગવાન મહાવીરના લલાટે થયું સૂર્ય તિલક, જુઓ VIDEO#gandhinagar #Coba #mahavirswami #suryatilak #gujaratsamachar #vtvdigital pic.twitter.com/kRNWlm8Cay
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 22, 2025
ગાંધીનગરના કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષે ભગવાન મહાવીરના લલાટે સૂર્ય તિલકના દર્શન થયા છે. દર વર્ષે મે મહિનાની 22 તારીખે શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી આ તિલક બન્યું છે. 22 મેના રોજ 2 વાગ્યાને 7 મીનીટે અદ્ભુત નજરો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, સૂર્યતિલક થાય એવી આ ઘટના ગુજરાતમાં માત્ર કોબા જૈન તીર્થ ખાતે જ જોવા મળે છે. વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહત્વનું છે કે, દેરાસરનું નિર્માણ એવી રીતે થયું છે કે, દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2.07 મિનિટે અહીં સૂર્ય તિલક થાય છે. કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના જે દિવસે અને જે સમયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં તે સમય એટલે કે બપોરના 2 વાગ્યે અને 7 મિનિટ પર આ સૂર્યતીલક થાય છે. અહીં એ નોંધનીય છે કે, વર્ષોથી કોઈપણ પ્રાકૃતિક આપદા સૂર્ય તિલકને રોકી શકી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.